SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૫ ગાથા :नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । वीरियं उवओगो य, एयं जीअस्स लक्खणं ।।५।। ગાથાર્થ : જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. પિI ભાવાર્થ : (૧) જેનાથી લક્ષ્યનો બોધ થાય તે લક્ષણ. આ રીતે લક્ષણ શબ્દની વ્યુત્પત્તિથી પ્રસ્તુત ગાથામાં જીવનાં છ લક્ષણો બતાવેલ છે. (૨) વળી, લક્ષ્યમાત્રમાં વ્યાપીને રહે, અને અવ્યાપ્તિ, અતિવ્યાપ્તિ અને અસંભવદોષથી રહિત હોય તે લક્ષણ કહેવાય. આ રીતે બીજા પ્રકારની લક્ષણ શબ્દની વ્યુત્પત્તિથી વિચારીએ તો ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તત્ત્વાર્થકારે આ બીજા પ્રકારના લક્ષણ શબ્દની વ્યુત્પત્તિને આશ્રયીને ઉપયોગને જીવનું લક્ષણ કહેલ છે. ઉપયોrો નક્ષણમ્ II (તત્ત્વાર્થસૂત્ર મ. ૨, સૂ. ૮) જીવમાં જ્ઞાનનો પરિણામ છે, દર્શનનો પરિણામ છે, ચારિત્રનો પરિણામ છે, તપનો પરિણામ છે અને વીર્યનું પ્રવર્તન છે. તેથી જીવમાં જ્ઞાનને જોઈને કે દર્શનને જોઈને “આ જીવ છે” તેમ નક્કી થાય છે. તેમ ચારિત્ર કે તપની આચરણા જોઈને પણ “આ જીવ છે” તેમ નક્કી થાય છે. વળી, વીર્યનું પ્રવર્તન જોઈને પણ આ જીવ છે” એમ નક્કી થાય છે. આમ છતાં, એવું પણ બને કે જીવમાં જ્ઞાનનો ઉપયોગ ન હોય પણ દર્શનનો ઉપયોગ હોય, અને ક્યારેક જીવમાં જ્ઞાનનો ઉપયોગ હોય પણ દર્શનનો ઉપયોગ ન હોય, તોપણ જ્ઞાનના ઉપયોગવાળો જીવ છે કે દર્શનવાળો જીવ છે, તેમ નક્કી થાય છે. પરંતુ બધા જીવોમાં કે એક જીવમાં પણ સદા જ્ઞાનનો ઉપયોગ હોય કે સદા દર્શનનો ઉપયોગ હોય તેવો નિયમ નથી. વળી, ચારિત્ર અને તપ પણ બધા જીવોમાં નથી, તોપણ ચારિત્રની આચરણા કે તપની આચરણા જીવ સિવાય અન્ય કોઈ જડ વસ્તુમાં નથી. તેથી ચારિત્ર કે તપના લિંગ દ્વારા પણ “આ જીવ છે” તેમ અનુમાન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy