SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪-૫ ૩૩ આનાથી એ પ્રાપ્ત થાય કે જીવ ઉત્પત્તિના સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોના જે છ વિભાગ કરે છે, તેમાંથી છઠ્ઠો વિભાગ મન:પર્યાપ્તિનો છે, અને તે મન:પર્યાપ્તિરૂપ સાધનથી જીવ મનોવર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરે છે, મનરૂપે પરિણમન પમાડે છે અને મનરૂપે પરિણમન પામેલાં તે પુગલોનું આલંબન લઈને મૂકે છે. તે સર્વ ક્રિયામાં મન:પર્યાપ્તિનાં પુદ્ગલો સાધન છે. આ પ્રમાણે છ પર્યાપ્તિઓમાંથી એકેન્દ્રિય જીવો ચાર પર્યાપ્તિ કરે છે, બેઇન્દ્રિય-તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અને અસંક્ષીપંચેન્દ્રિય સુધીના જીવો પાંચ પર્યાપ્તિ કરે છે અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છ પર્યાપ્તિ કરે છે. જે જીવો પોતાને યોગ્ય ચાર, પાંચ કે છ પર્યાપ્તિમાંથી બધી પર્યાપ્તિઓ પૂરી કરીને મરે છે, તે પર્યાપ્તિનામકર્મવાળા જીવો કહેવાય, અને જે જીવો પોતાને યોગ્ય ચાર, પાંચ કે છમાંથી જેટલી પર્યાપ્તિ થવાની હોય તેટલી પર્યાપ્તિનો પ્રારંભ કરવા છતાં તે પર્યાપ્તિ પૂરી કર્યા વિના મારે તે અપર્યાપ્તનામકર્મવાળા જીવો કહેવાય.' એકેન્દ્રિય જીવો ચાર પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે અને ત્રણ પર્યાપ્તિ પૂરી કરીને મરી જાય તો અપર્યાપ્તનામકર્મવાળા છે, અને ચાર પર્યાપ્તિ પૂરી કરે તે પહેલાં મરે નહિ તો પર્યાપ્તનામકર્મવાળા છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો પાંચ પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે, અને કેટલાક ત્રણ, કેટલાક ચાર પર્યાપ્તિ કર્યા પછી મરી જાય તો તે અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા કહેવાય, અને પાંચ પર્યાપ્તિ કર્યા વગર જેઓ મરે નહિ તે પર્યાપ્તનામકર્મવાળા જીવો છે. સંજ્ઞી પંચેન્દ્રિય જીવો છ પર્યાપ્તિ બનાવવાનો પ્રારંભ કરે અને કેટલાક ત્રણ, કેટલાક ચાર અને કેટલાક પાંચ પર્યાપ્તિ કર્યા પછી મરી જાય તો તે અપર્યાપ્તનામકર્મના ઉદયવાળા કહેવાય, અને છ પર્યાપ્તિ કર્યા વગર જેઓ મરે નહિ, તે પર્યાપ્તનામકર્મવાળા જીવો છે. આજના અવતરણિકા : ગાથા-૩ અને ગાથા-૪માં જીવોના ભેદો કેટલા છે તે બતાવ્યાં. તેથી જિજ્ઞાસા થાય કે જીવને ઓળખવા માટે તેનું લક્ષણ શું છે ? તેથી હવે જીવનું લક્ષણ બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy