SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ યોગ્ય પુદ્ગલોને જીવ મૂકે છે. તેમાં ઉચ્છવાસરૂપે પરિણમન પમાડવામાં અને આલંબનરૂપે લઈને મૂકવામાં સાધનભૂત ઉચ્છવાસપર્યાપ્તિ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવે ઉત્પત્તિના સમયે જે આહાર ગ્રહણ કરેલો તેના છ વિભાગ કરેલ, તેમાંથી એક વિભાગ આહારપર્યાપ્તિરૂપે, બીજો વિભાગ શરીરપર્યાપ્તિરૂપે, ત્રીજો વિભાગ ઇન્દ્રિય પર્યાપ્તિરૂપે અને ચોથો વિભાગ ઉચ્છવાસ પર્યાપ્તિરૂપે બન્યો. આ ઉચ્છવાસપર્યાપ્તિના પુદ્ગલોરૂપ સાધનથી જીવ ઉચ્છવાસ યોગ્ય વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરીને ઉછુવાસરૂપે પરિણમન પમાડે છે અને તેનું આલંબન લઈને ઉચ્છવાસને મૂકે છે. (૫) ભાષાપર્યાપ્તિ : यया तु भाषाप्रायोग्यवर्गणाद्रव्यं गृहीत्वा भाषात्वेन परिणमय्याऽलम्ब्य च मुञ्चति सा भाषापर्याप्तिः ५ ।। (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक-४८, स्वोपज्ञ ટીવા) ભાષા યોગ્ય વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરીને, ભાષારૂપે પરિણમન પમાડીને, અને ભાષારૂપે પરિણમન પામેલા પુદ્ગલોનું આલંબન લઈને જીવ ભાષાપર્યાપ્તિથી તે પુદ્ગલોને મૂકે છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જીવે ઉત્પત્તિના સમયે ગ્રહણ કરાયેલાં પુદ્ગલોના છ વિભાગ કર્યા, તેમાંથી પાંચમો વિભાગ ભાષાપર્યાપ્તિ બને છે; અને આ ભાષાપર્યાપ્તિ જીવને વચનપ્રયોગ કરતી વખતે ભાષા યોગ્ય વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરવામાં, ભાષારૂપે પરિણમન પમાડવામાં અને ભાષારૂપે પરિણમન પામેલાં તે દ્રવ્યોનું આલંબન લઈને મૂકવામાં સાધન બને છે. () મન:પર્યાપ્તિ - यया पुनर्मनोयोग्यवर्गणादलिकं गृहीत्वा मनस्त्वेन परिणमय्याऽऽलम्ब्य च मुञ्चति सा मनःपर्याप्तिः ६ ।। (चत्त्वारः कर्मग्रंथाः, कर्मग्रंथ-१, श्लोक-४८, स्वोपज्ञ ટીવા) મનોવર્ગણા યોગ્ય પગલોને ગ્રહણ કરીને, મનરૂપે પરિણમન પમાડીને, અને મનરૂપે પરિણમન પામેલાં તે પુદ્ગલોનું આલંબન લઈને, જીવ મન:પર્યાપ્તિથી તે પુગલોને મૂકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy