SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ કરવા માટે અનુગ્રહ કરે તેવાં હોય, તેને આશ્રયીને તે નિવૃત્તિ ઇન્દ્રિયને જ ઉપકરણઇન્દ્રિય કહેલ છે. ઉપકરણઇન્દ્રિયના બે ભેદ છે : (૧) બાહ્ય ઇન્દ્રિય, (૨) અત્યંતર ઇન્દ્રિય. ઉપકરણઇન્દ્રિયના બાહ્ય અને અત્યંતર એમ બે ભેદ તત્ત્વાર્થભાષ્યકારે કહેલ છે, તે પ્રકારો નિવૃત્તિ ઇન્દ્રિયના બાહ્ય અને અત્યંતર ભેદને આશ્રયીને છે, તેમ ટીકામાં સ્પષ્ટતા કરેલ છે. (II) ભાવઇન્દ્રિય :નિષ્ણુપવો ભાવેન્દ્રિયમ્ II (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ૨૮) लब्धिरुपयोगस्तु भावेन्द्रियं भवति । लब्धिर्नाम गतिजात्यादिनामकर्मजनिता तदावरणीयकर्मक्षयोपशमजनिता च इन्द्रियाश्रयकर्मोदयनिर्वृत्ता च जीवस्य भवति सा पञ्चविधा, तद्यथास्पर्शनेन्द्रियलब्धिः, रसनेन्द्रियलब्धिः, घ्राणेन्द्रियलब्धिः, चक्षुरिन्द्रियलब्धिः, श्रोत्रेन्द्रियलब्धिरिति ।।१८ ।। (तत्त्वार्थ सूत्र अ. २, सू. १८, श्री सिद्धसेनगणिकृता टीका) ભાવઇન્દ્રિય જ્ઞાનાત્મક છે. તેના બે ભેદ છે, લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય. (તત્ત્વાર્થસૂત્ર અ. ૨, સૂ. ૧૮) (૧) લબ્ધિ ઇન્દ્રિય :- ગતિ-જાતિ આદિ નામકર્મથી જનિત અને તદ્ આવરણીય=રૂપાદિ ગ્રહણ પરિણતિના આવરણીય એવા કર્મોના ક્ષયોપશમથી જનિત એવી પ્રાપ્તિ-બોધની પ્રાપ્તિ, તે લબ્ધિ ઇન્દ્રિય છે. વળી, ઇન્દ્રિયના આશ્રયવાળા કર્મોથી નિષ્પન્ન થયેલ જીવના ક્ષયોપશમભાવરૂપ આ લબ્ધિ ઇન્દ્રિય છે, અને તે પાંચ ભેદવાળી છે. (૧) સ્પર્શનેન્દ્રિય લબ્ધિ, (૨) રસનેન્દ્રિય લબ્ધિ, (૩) ઘ્રાણેન્દ્રિય લબ્ધિ, (૪) ચક્ષુરિન્દ્રિય લબ્ધિ અને (૫) શ્રોત્રેન્દ્રિય લબ્ધિ. આનાથી એ પ્રાપ્ત થાય કે પાંચ લબ્ધિ ઇન્દ્રિયો છે, અને ચાર ગતિમાંથી જીવને પ્રાપ્ત થયેલ જે ગતિનામકર્મનો ઉદય હોય, અને એકેન્દ્રિય આદિ પાંચ જાતિમાંથી જે જાતિનામકર્મનો ઉદય હોય, તેનાથી જનિત, અને તે તે ઇન્દ્રિયોથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy