SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪ ૨પ થનારા બોધનાં આવારક કર્મોના ક્ષયોપશમથી જનિત, એવા જ્ઞાનાવરણીય કર્મનો જે ક્ષયોપશમ છે, તે લબ્ધિ ઇન્દ્રિય છે, અને આ લબ્ધિ ઇન્દ્રિયરૂપ ક્ષયોપશમ આત્મામાં પડેલો છે. (૨) ઉપયોગઇન્દ્રિય: लब्धिनिर्वृत्त्युपकरणक्रमेणोपयोगः । (तत्त्वार्थ सूत्र अ. २, सू. १९, श्री सिद्धसेनगणिकृता टीका) લબ્ધિઇન્દ્રિય, નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિયના ક્રમથી બોધરૂપે ઉપસ્થિત થયેલો મતિજ્ઞાનનો પરિણામ તે ઉપયોગઇન્દ્રિય છે. જીવમાં લબ્ધિઇન્દ્રિયરૂપે જે ક્ષયોપશમભાવની શક્તિ છે તેને આશ્રયીને જીવ બોધ કરવાને અભિમુખ થાય છે ત્યારે, પુદ્ગલાત્મક નિવૃત્તિઇન્દ્રિય અને તે નિવૃત્તિઇન્દ્રિયમાં રહેલ બોધ કરવાને ઉપકારક એવી ઉપકરણઇન્દ્રિયના ક્રમથી તે તે ઇન્દ્રિયનો ઉપયોગ વર્તે છે, તે ઉપયોગઇન્દ્રિય છે. સંક્ષેપથી ઇન્દ્રિયોનું સ્વરૂપ આ પ્રમાણે છે : (i) લબ્ધિઇન્દ્રિય એટલે જીવમાં રહેલ તે તે ઇન્દ્રિયના આવારક મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પેદા થયેલ બોધને અનુકૂળ શક્તિ. આ શક્તિ જીવમાં ક્ષયોપશમભાવરૂપે રહેલી છે. (ii) નિવૃત્તિઇન્દ્રિય એટલે પુદ્ગલની બનેલી પાંચ ઇન્દ્રિયો. (iii) ઉપકરણઇન્દ્રિય એટલે નિવૃત્તિઇન્દ્રિયમાં બોધ કરાવવાને અનુકૂળ પુદ્ગલની શક્તિ. (iv) ઉપયોગઇન્દ્રિય એટલે બોધ કરવાને અનુકૂળ એવી લબ્ધિઇન્દ્રિય, નિવૃત્તિઇન્દ્રિય અને ઉપકરણઇન્દ્રિયના ક્રમથી બોધરૂપે ઉપસ્થિત થયેલો મતિજ્ઞાનનો પરિણામ. (૨) સૂક્ષ્મ અને બાદરનાં સ્વરૂપનું જ્ઞાન : ઇન્દ્રિય પાંચ પ્રકારની છે અને તે દરેકના દ્રવ્યઇન્દ્રિય અને ભાવઇન્દ્રિય એમ બે ભેદ છે. તે ઇન્દ્રિયોને આશ્રયીને એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય એમ જીવના પાંચ ભેદો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy