SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪ આમ એકેન્દ્રિયના ચાર ભેદ અને બેઇન્દ્રિય આદિના છ ભેદ મળીને કુલ દસ ભેદ પ્રાપ્ત થાય છે. આ દસ ભેદવાળા સર્વ જીવો અસંજ્ઞી જ છે. તેથી એકેન્દ્રિયથી માંડીને ચઉરિન્દ્રિય સુધીના જીવોના ઉપરના દસ ભેદમાં સંક્ષી અને અસંજ્ઞી એવો ભેદ નથી. જ્યારે પંચેન્દ્રિય જીવોમાં સંશી અને અસંજ્ઞી એમ બે ભેદ પ્રાપ્ત થાય છે અને તે બન્ને ભેદમાં કેટલાક અપર્યાપ્તા અને કેટલાક પર્યાપ્તા છે, તેથી પંચેન્દ્રિય જીવમાં – (૧) અસંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય, (૨) અસંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય, (૩) સંજ્ઞી અપર્યાપ્તા પંચેન્દ્રિય અને (૪) સંજ્ઞી પર્યાપ્તા પંચેન્દ્રિય એમ ચાર ભેદ પ્રાપ્ત થાય છે. આમ એકેન્દ્રિયના ચાર, બેઇન્દ્રિય આદિના છ અને પંચેન્દ્રિયના ચાર એમ સંસારી જીવોનાં વિભાગસ્થાનો કુલ ચૌદ પ્રાપ્ત થાય છે અર્થાત્ સંસારી જીવો આ ચૌદ જીવસ્થાનોમાંથી કોઈક સ્થાનમાં વર્તે છે. આ પ્રકારના ચૌદ ભેદોની વિચારણામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની પ્રાપ્તિ છે, તેથી (૧) ઇન્દ્રિય શું છે ? તેનું જ્ઞાન આવશ્યક છે. વળી એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર બે ભેદ છે. તેથી (૨) સૂક્ષ્મ અને બાદરના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. વળી, પંચેન્દ્રિયમાં સંક્ષી અને અસંશી એમ બે ભેદ છે, તેથી (૩) સંજ્ઞી અને અસંજ્ઞીના સ્વરૂપનું જ્ઞાન આવશ્યક છે. આ સર્વ જીવો અપર્યાપ્તા અને પર્યાપ્તા છે, તેથી (૪) પર્યાપ્તિઓ શું છે ? અને કેટલી છે ? અને કેટલી પર્યાપ્તિઓ પૂરી કરવા છતાં જીવો અપર્યાપ્તા છે ? અને કેટલી પર્યાપ્તિ પૂરી થાય ત્યારે જીવ પર્યાપ્ત કહેવાય ? એનું જ્ઞાન આવશ્યક છે. તેથી હવે ક્રમસર (૧) ઇન્દ્રિયનું જ્ઞાન, (૨) સૂક્ષ્મ અને બાદરના સ્વરૂપનું જ્ઞાન, (૩) સંજ્ઞીઅસંજ્ઞીનું જ્ઞાન અને (૪) પર્યાપ્તિ-અપર્યાપ્તિનું જ્ઞાન બતાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy