SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ / ગાથા-૪ ગાથાર્થ ઃ એકેન્દ્રિય સૂક્ષ્મ અને ઈતર=બાદર, બે ભેદવાળા છે, અને પંચેન્દ્રિય સંજ્ઞી અને ઇતર=અસંજ્ઞી, બે ભેદવાળા છે. બેઇન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય સહિત એકેન્દ્રિય આદિ સર્વ જીવો અપર્યાપ્તા અને પર્યાપ્તા એમ બે ભેદવાળા છે. એ ક્રમથી જીવસ્થાનકો ચૌદ છે. ।।૪।| ભાવાર્થ : જીવતત્ત્વના ચૌદ ભેદ આ રીતે છે – એકેન્દ્રિયના બે ભેદ : (૧) સુક્ષ્મ એકેન્દ્રિય, (૨) બાદર એકેન્દ્રિય. આ બન્ને પ્રકારના એકેન્દ્રિયમાંથી કેટલાક અપર્યાપ્તા અને કેટલાક પર્યાપ્તા છે. તેથી એકેન્દ્રિયના – (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિય, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા એકેન્દ્રિય, (૩) બાદર અપર્યાપ્તા એકેન્દ્રિય અને (૪) બાદર પર્યાપ્તા એકેન્દ્રિય એમ ચાર ભેદ પ્રાપ્ત થાય છે. ૨૧ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, એ ત્રણ ભેદોમાં કેટલાક અપર્યાપ્તા અને કેટલાક પર્યાપ્તા છે, તેથી તેમના (૧) બેઇન્દ્રિય અપર્યાપ્તા, (૨) બેઇન્દ્રિય પર્યાપ્તા, (૩) તેઇન્દ્રિય અપર્યાપ્તા, (૪) તેઇન્દ્રિય પર્યાપ્તા, (૫) ચઉરિન્દ્રિય અપર્યાપ્તા અને (૬) ચઉરિન્દ્રિય પર્યાપ્તા એમ કુલ છ ભેદ પ્રાપ્ત થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy