SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ સંચય થાય ત્યારે ક્ષણભર પણ વિલંબ કર્યા વગર સર્વવિરતિમાં ઉદ્યમ કરીને અસંગભાવની શક્તિનો સંચય કરવા માટે ઉદ્યમ કરવો જોઈએ, જેથી ક્રમે કરીને આ સંસારનો અંત થાય. આ પ્રકારની સ્થિર રુચિ સમ્યગ્દષ્ટિના હૈયામાં સદા વર્તે છે. આવા સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાનના વચનરૂપ શ્રુત, ભગવાનના વચન અનુસાર સંયમની ક્રિયારૂપ શીલ અને ભગવાનના વચન અનુસાર શીલના સેવનથી થયેલી શાંત પ્રકૃતિરૂપ સમાધિમાં અભિનિવેશ હોય છે. આ પ્રકારની સ્થિર રુચિ પ્રગટ થવાથી જીવમાં વર્તતા મન-વચન અને કાયાના યોગો મિથ્યાત્વરૂપ વિપર્યાસના સંશ્લેષ વગરના હોય છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવો જે કાંઈ સંસારની કે ધર્મની પ્રવૃત્તિ કરતા હોય, ત્યારે તેમના મન, વચન અને કાયાના યોગો અવિરતિના ઉદયવાળા હોવા છતાં મિથ્યાત્વના સંવરભાવવાળા છે. આનાથી એ ફલિત થયું કે તત્ત્વને જાણીને તત્ત્વ પ્રત્યે પક્ષપાત પેદા થાય એવા આત્મા ઉપર સંસ્કારો પાડવાની ક્રિયાએ સમ્યકત્વની પ્રાપ્તિનો ઉપાય છે, અને તે સંસ્કારો દૃઢ અને સ્થિર થાય ત્યારે સમ્યકત્વકાળમાં તે સંસ્કારો નીચે સર્વ પ્રવૃત્તિ અને સર્વ નિવૃત્તિ થાય છે. જે મિથ્યાત્વનાં સંવરભાવરૂપ છે. આથી સમ્યગ્દષ્ટિ જીવોની સર્વ પ્રવૃત્તિ દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા અનુસાર હોય છે. (i) અવિરતિ આશ્રવના નિરોધનું સ્વરૂપ - અવિરતિ બાર પ્રકારની છે : પ ઇન્દ્રિયનો અસંવર ૧ મનનો અસંવર ૯ કાયનો વધ. પાંચ ઇન્દ્રિયો અને છઠું મન એ બાહ્ય પુદ્ગલોમાં રાગ અને દ્વેષથી વર્તે છે, અને પર્કાયના વધનો પરિણામ જીવમાં વર્તે છે, એ બાર પ્રકારની અવિરતિ છે. જો બાર પ્રકારની અવિરતિનો સંપૂર્ણ રોધ થાય તો અવિરતિ આશ્રવનો રોધ પ્રાપ્ત થાય. અવિરતિ આશ્રવનો રોધ એટલે સર્વવિરતિની ક્રિયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy