SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ ૧૧ સંવરની પરિણતિ પ્રગટે છે, તોપણ અવિરતિ આદિ આશ્રવોનો નિરોધ થયો નથી. તેથી તેવા જીવોના મન, વચન અને કાયાના વ્યાપારો મિથ્યાત્વના સંશ્લેષ વગરના હોવાથી સંવરવાળા છે અને અવિરતિ આદિના પરિણામવાળા હોવાથી આશ્રવવાળા છે. (i) મિથ્યાત્વ આશ્રવના નિરોધનું સ્વરૂપ : જે જીવો મિથ્યાત્વના ઉદયવાળા છે અને કોઈક નિમિત્તને પામીને તત્ત્વની સન્મુખ થાય છે અને ભગવાનના વચનના પરમાર્થને પ્રાપ્ત કરે છે ત્યારે, તેઓ માને છે કે “સર્વકર્મરહિત આત્માની શુદ્ધ અવસ્થા સિદ્ધ અવસ્થા છે, અને સિદ્ધ અવસ્થામાં રહેલો આત્મા પૂર્ણ જ્ઞાનમય છે. સિદ્ધ અવસ્થામાં કર્મકૃત, દેહકૃત કે મોહકૃત કોઈ ઉપદ્રવ નથી, તેથી આત્મા સંપૂર્ણ નિરાકુળ છે, માટે સિદ્ધ અવસ્થામાં પૂર્ણ સુખ છે. આ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય સર્વસંવર છે અર્થાત્ મન-વચન અને કાયાની પ્રવૃત્તિનો સંપૂર્ણ અભાવ છે, જે ચૌદમા ગુણસ્થાનકે યોગનિરોધકાળમાં પ્રાપ્ત થાય છે. સર્વસંવરની પ્રાપ્તિનો ઉપાય કેવળજ્ઞાન છે; કેમ કે કેવળજ્ઞાન પૂર્વે જીવને સર્વસંવર કરવાને અનુકૂળ બોધ નથી અને તેવા પ્રકારની વીર્યશક્તિ પણ નથી. અને જીવને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે પૂર્ણ જ્ઞાન અને ક્ષાયિકભાવનું વીર્ય છે, તેથી તેના બળથી સર્વસંવરને પ્રાપ્ત કરીને કેવળીનો આત્મા સર્વ કર્મનો નાશ કરે છે અને મુક્ત બને છે. માટે મોક્ષના અર્થીએ સર્વસંવરને પ્રાપ્ત કરવો જોઈએ અને સર્વસંવરના અર્થીએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય મોહનો નાશ છે અને મોહના નાશનો ઉપાય ક્ષપકશ્રેણી છે. આ ક્ષપકશ્રેણી અસંગભાવમાં કરાયેલા સુદઢ યત્નથી શુક્લધ્યાન દ્વારા પ્રગટે છે. તેથી મોહનાશના અર્થીએ અસંગભાવમાં યત્ન કરવો જોઈએ. આ અસંગભાવની પ્રાપ્તિનો ઉપાય ભગવાનના વચન અનુસાર સંપૂર્ણ નિરવદ્ય આચારોનું સેવન છે. તેથી અસંગભાવના અર્થીએ ભગવાનના વચન અનુસાર સંપૂર્ણ નિરવદ્ય આચારનું સેવન કરવું જોઈએ અને ભગવાનના વચન અનુસાર સંપૂર્ણ નિરવદ્ય આચારના સેવન માટે સર્વવિરતિ ગ્રહણ કરીને શાસ્ત્રાનુસારી સર્વ ક્રિયાઓમાં ઉદ્યમ કરવો જોઈએ. જો સર્વવિરતિ ગ્રહણ કરવાની શક્તિ ન હોય તો સ્વશક્તિ અનુસાર દેશવિરતિમાં યત્ન કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરવો જોઈએ, અને જ્યારે સર્વવિરતિની શક્તિનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy