SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ (૧) સંવરતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા : સંવર એટલે આશ્રવનો નિરોધ, અને આ આશ્રવના નિરોધરૂપ સંવર દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તે આ રીતે – બંધના કારણભૂત આશ્રવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર ભૂમિકામાં વિભક્ત છે. જે સાધક આ ચારે આશ્રવોનો નિરોધ કરે તે સાધકને સર્વસંવર પ્રાપ્ત થાય; અને આ સર્વસંવર યોગનિરોધકાળમાં પ્રગટ થાય છે, તેની પૂર્વે સર્વસંવર આવતો નથી; તોપણ તે ચારે આશ્રવોમાંથી જે જે આશ્રવનો નિરોધ થાય તે તે અંશથી સંવર પ્રગટે છે, યોગનિરોધ પૂર્વે કેવલીને પણ સર્વસંવર નથી. આ ચારે આશ્રવોમાં ક્રમસર નિરોધ આ રીતે થઈ શકે – સંસારવર્તી જીવો અનાદિકાળથી મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ આશ્રવવાળા છે, પરંતુ સંવરનો અંશ સંસારવર્તી જીવોને લેશથી પણ નથી. તેથી સંસારવર્તી જીવો અનાદિકાળથી કર્મને બાંધે છે અને કર્મના ફળરૂપ ચારગતિમાં પરિભ્રમણ કરે છે, પરંતુ સંસારનો અંત ક્યારેય કરતાં નથી. આમ છતાં જે જીવનું તથાભવ્યત્વ પરિપાકને પામે છે, ત્યારે કંઈક કર્મની અસરથી તેનો આત્મા મુક્ત થાય છે. તે ભૂમિકામાં તે જીવનું મિથ્યાત્વ કંઈક મંદ થાય છે અને સામગ્રી મળતાં તે જીવને તત્ત્વની જિજ્ઞાસા થાય છે અને જગતના પદાર્થોની યથાર્થ વ્યવસ્થા બતાવનાર ભગવાનના વચનને જાણીને તેના પરમાર્થને જાણવા માટે જ્યારે તે જીવને ઉત્કટ ઇચ્છા થાય છે, અને પરમ મધ્યસ્થતાપૂર્વક તત્તાતત્ત્વના વિભાગને કરવા માટે તે જીવ યત્ન કરે છે, ત્યારે તત્ત્વને જોવામાં બાધક એવી ઉત્કટ રાગ-દ્વેષરૂ૫ ગ્રંથિનો ભેદ થાય છે, અને તે જીવને ભગવાનના વચનનો પરમાર્થ સંક્ષેપથી કે વિસ્તારથી યથાર્થ દેખાય છે, ત્યારે દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પ્રગટે છે. અર્થાત્ સર્વજ્ઞના વચનરૂપ તત્ત્વને બતાવનાર એવો જે દૃષ્ટિવાદ, તે દૃષ્ટિવાદના ઉપદેશ અનુસાર હિતમાં પ્રવૃત્તિ અને અહિતમાં નિવૃત્તિ કરાવે એવી મનોવૃત્તિ પ્રગટે છે. આવી મનોવૃત્તિ પ્રગટ્યા પછી આવા જીવોમાં મિથ્યાત્વનો ઉદય પૂર્વમાં હતો તે ક્ષયોપશમભાવ આદિપે થાય છે. તેથી મિથ્યાત્વના આપાદક કર્મના વિગમનથી થયેલી જીવની સહજ પરિણતિરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy