SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૧ (૩) પુણ્યતત્ત્વ અને (૪) પાપતત્ત્વના જ્ઞાનની ઉપયોગિતા : સાક્ષાત અભ્યદય માટે અને પરંપરાએ મોક્ષ માટે : અભ્યદય એટલે જીવનો ઉત્કર્ષ, અને ઉત્કર્ષની પરાકાષ્ઠા એટલે મોક્ષ. પુણ્યતત્ત્વનું જ્ઞાન ઉપાદેયરૂપે અભ્યદય માટે ઉપયોગી છે, અને પાપતત્ત્વનું જ્ઞાન હેયરૂપે અભ્યદય માટે ઉપયોગી છે. પુણ્યથી જીવને સુમાનુષત્વ અને સુદેવત્વની પ્રાપ્તિ થાય છે, જે ઉત્તરોત્તર અભ્યદયની પ્રાપ્તિ દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. પુણ્ય અને પાપ એ જીવની સાથે બંધાયેલ કર્મની એક અવસ્થા છે. વળી વસ્ત્રને ગ્રહણ કરવા માટે જે રીતે સાક્ષાત્ યત્ન થાય છે તે રીતે પુણ્યને આત્મા સાથે યોજન કરવા માટે સાક્ષાત્ યત્ન થતો નથી, અને મલિન વસ્ત્રના પરિહાર માટે જે રીતે સાક્ષાત્ યત્ન થાય છે તે રીતે આત્મા ઉપર લાગેલા પાપના પરિહાર માટે સાક્ષાત્ યત્ન થતો નથી, પરંતુ પુણ્યના કારણભૂત શુભ આશ્રવ છે અને પાપના કારણભૂત અશુભ આશ્રવ છે. શુભઆશ્રવ અને અશુભઆશ્રવ જીવના પરિણામરૂપ છે, તેથી તેમાં યત્ન થઈ શકે છે. માટે જે જીવોને પુણ્યના ફળનું જ્ઞાન છે અને પાપના ફળનું જ્ઞાન છે અને તેના કારણે પુણ્યના અર્થી છે અને પાપના પરિવારના અર્થી છે, તેવા જીવો પુણ્યના કારણભૂત શુભઆશ્રવનું અને પાપના કારણભૂત અશુભઆશ્રવનું સ્વરૂપ શાસ્ત્રથી સમ્યગૂ જાણે, અને શાસ્ત્રોથી થયેલા બોધ અનુસાર સમ્યગૂ યત્ન કરે તો શુભાશ્રવમાં યત્ન થઈ શકે છે અને અશુભઆશ્રવના પરિવારમાં યત્ન થઈ શકે છે. શુભઆશ્રવમાં કરાયેલા યત્નથી પુણ્યબંધ થાય છે અને પૂર્વમાં બંધાયેલ પાપ ક્ષીણ થાય છે, અને અશુભઆશ્રવના પરિવાર માટે કરાયેલ યત્નથી નવું પાપ અટકે છે, જેથી જીવમાં પુણ્યબંધનો સંચય થાય છે, જેના ફળરૂપે સુદેવત્વ અને સુમાનુષત્વ પ્રાપ્ત કરીને યોગમાર્ગની અધિક અધિક શક્તિનો સંચય કરે છે, અને જેમ જેમ આત્મામાં અધિક અધિક યોગમાર્ગ સ્થિર થાય છે, તેમ તેમ મોક્ષપ્રાપ્તિ નજીક બને છે. આમ યોગમાર્ગના સેવનથી સંચિત શક્તિવાળા જીવો બને ત્યારે સર્વથા બંધના પરિવાર માટે યત્ન કરીને સંવરભાવને પામે છે, અને સંવરભાવથી જેમ બંધનો પરિહાર થાય છે તેમ સત્તામાં રહેલ કર્મની નિર્જરા પણ થાય છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy