SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-પપ, ૫૬-૫૭-૫૮-૫૯ ૧૫૭ જીવો બાહ્ય વૃષભ આદિ કારણને જોઈને બોધ પામેલા છતા સિદ્ધ થાય, તે પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય. જે જીવો બાહ્ય નિમિત્ત વગર જ પોતાના જાતિસ્મરણ આદિથી બોધ પામેલા છતા સિદ્ધ થાય, તે સ્વયંબુદ્ધસિદ્ધ કહેવાય. કેટલાક જીવો ઉપદેશ આદિની સામગ્રી વગર કોઈક નિમિત્તથી વિરક્ત થાય છે, અને વિશિષ્ટ જ્ઞાનનો ક્ષયોપશમ થવાથી સાડા નવ પૂર્વથી અધિક વિશિષ્ટ જ્ઞાન થયા પછી કોઈકને કેવળજ્ઞાન થાય છે, તેવા જીવોને ભાવથી સંયમનો પરિણામ સ્પર્શે છે અને સ્વયં દીક્ષા ગ્રહણ કરે છે અને અસંગઅનુષ્ઠાનને પામેલા હોય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ છે, અને તે પ્રત્યેકબુદ્ધ કેવળજ્ઞાન પામીને મોક્ષમાં જાય તો પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. તીર્થકરના જીવો પૂર્વના ભવથી જ બોધ લઈને આવે છે, તેઓ સ્વયંબુદ્ધ છે, અને તેઓ મોક્ષે જાય છે, તે સ્વયંબુદ્ધસિદ્ધકહેવાય છે. બુદ્ધ એવા ભગવાનથી કે ગુરુ આદિથી બોધ પામીને જેઓ સિદ્ધ થાય છે તેઓ બુદ્ધબોધિતસિદ્ધ કહેવાય. આ ત્રણે વિભાગમાં સર્વ સિદ્ધના જીવોનો અંતર્ભાવ થાય છે. (૬) એક સમયમાં એકસિદ્ધ અને એક સમયમાં અનેકસિદ્ધ - એક સમયમાં જઘન્યથી કોઈ એક સિદ્ધ થાય છે, અને ક્યારેક એક સમયમાં અનેક સિદ્ધ થાય. તેથી એક સિદ્ધ અને અનેકસિદ્ધમાં સર્વ સિદ્ધના જીવોનો સમાવેશ થાય છે. 'પિપા અવતરણિકા : પૂર્વગાથામાં સિદ્ધના ૧૫ ભેદો બતાવ્યાં. હવે તે ભેદોમાં કોનો કોનો અંતર્ભાવ થાય છે, તે ગાથા-પ૬ થી ૫૯માં બતાવે છે – ગાથા :जिणसिद्धा अरिहंता, अजिणसिद्धा य पुंडरिअपमुहा । गणहारि तित्थसिद्धा, अतित्थसिद्धा य मरुदेवा ।।५६।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy