SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પપ થાય છે, તે જિનસિદ્ધ છે, અને કેટલાક તીર્થકર થયા વગર સિદ્ધ થાય છે, તે અજિનસિદ્ધ છે. જિનસિદ્ધ અને અજિનસિદ્ધ આ બે ભેદોમાં સિદ્ધના સર્વ જીવોનો સંગ્રહ છે. (૨) તીર્થસિદ્ધ-અતીર્થસિદ્ધ - સંસારમાંથી જે જીવો સિદ્ધ થાય છે, તેમાંથી કેટલાક જીવો તીર્થની સ્થાપના થયા પછી મોક્ષે જાય છે, તેઓ તીર્થસિદ્ધ કહેવાય છે, અને તીર્થની સ્થાપના થયા પૂર્વે જેઓ મોક્ષે જાય છે, તેઓ અતીર્થસિદ્ધ કહેવાય છે. તીર્થસિદ્ધ અને અતીર્થસિદ્ધ આ બે ભેદોમાં સિદ્ધના સર્વ જીવોનો અંતર્ભાવ થાય છે. (૩) ગૃહસ્થલિંગસિદ્ધ, અવલિંગસિદ્ધ અને સ્વલિંગસિદ્ધ - જે કોઈ જીવો સિદ્ધ થાય છે, તેમાંથી કેટલાક ગૃહસ્થ વેશમાં કેવળજ્ઞાન પામીને મોક્ષમાં જાય છે, તેઓને ગૃહસ્થતિંગસિદ્ધ કહેવાય છે. વળી, કેટલાક જીવોએ અન્યદર્શનના સંન્યાસને સ્વીકારેલું હોય અને કોઈક રીતે કેવળજ્ઞાન પામીને તરત જ આયુષ્ય પૂર્ણ થતું હોય અને મોક્ષે જાય અથવા આયુષ્ય બાકી હોય તો સાધુવેશ ગ્રહણ કરે, છતાં અન્યલિંગમાં કેવલજ્ઞાન થયેલ છે તેથી તે અન્ય લિંગે મોક્ષમાં ગયા છે તેમ વ્યવહાર થાય છે. તેથી અન્યલિંગસિદ્ધ કહેવાય. વળી, કેટલાક જીવોએ ભગવાનના શાસનને પામીને સાધુપણું સ્વીકાર્યું હોય અને કેવળજ્ઞાન પામીને મોક્ષમાં જાય તો સ્વલિંગસિદ્ધ કહેવાય. આ ત્રણ વિભાગમાં સિદ્ધના સર્વ જીવોનો અંતર્ભાવ થાય છે. (૪) સ્ત્રીલિંગસિદ્ધ, પુરૂષલિંગસિદ્ધ અને નપુંસકલિંગસિદ્ધ: જે કોઈ જીવો મોક્ષે જાય છે, તેમાંથી કોઈ સ્ત્રીલિંગને ધારણ કરીને, કોઈ પુરુષલિંગને ધારણ કરીને અને કોઈ નપુંસકલિંગને ધારણ કરીને સિદ્ધ થાય છે. આ ત્રણ વિભાગમાં સિદ્ધના સર્વ જીવોનો અંતર્ભાવ થાય છે. (૫) પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ - અધ્યાત્મમતપરીક્ષામાં “પ્રત્યેક' શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરેલ છે : જે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy