SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૫૬-૫૭-૫૮-૫૯ गिहिलिंगसिद्ध भरहो, वक्कलचीरी य अनलिंगम्मि । साहु सलिंगसिद्धा, थीसिद्धा चंदणापमुहा ।।५७।। पुंसिद्धा गोयमाई, गांगेयाई नपुंसया सिद्धा । पत्तेयसयंबुद्धा, भणिया करकंडुकविलाई ।।५८।। तह बुद्धबोहि गुरुबोहिया य, इगसमये इगसिद्धा य । इगसमयेऽवि अणेगा, सिद्धा तेऽणेगसिद्धा य ।।५९।। ગાથાર્થ - જિનસિદ્ધ અરિહંત છે અને અજિનસિદ્ધો પુંડરિક વગેરે છે. ગણધારી તીર્થસિદ્ધ છે અને અતીર્થસિદ્ધ મરુદેવા છે. ગૃહીલિંગસિદ્ધ ભરત મહારાજા છે અને વલ્કલગીરી અવલિંગસિદ્ધ છે. સાધુઓ સ્વલિંગસિદ્ધ છે. સ્ત્રીસિદ્ધ ચંદના વગેરે સાધ્વીઓ છે. પુરુષસિદ્ધ ગૌતમ આદિ મુનિઓ છે. ગાંગેય આદિ નપુંસકલિંગસિદ્ધ છે. પ્રત્યેકબુદ્ધસિદ્ધ અને સ્વયંસંબુદ્ધસિદ્ધ કરવુ અને કપિલ કહેવાયા છે અને બુદ્ધબોધિતસિદ્ધ ગુરુબોધિતસિદ્ધ છે. એક સમયમાં એક સિદ્ધ થાય તે એકસિદ્ધ છે. એક સમયમાં પણ અનેક સિદ્ધ થાય તે અનેકસિદ્ધ છે. પકથી પCII. ભાવાર્થ - જેઓ તીર્થંકર થઈને સિદ્ધ થયા છે, તે જિનસિદ્ધ અરિહંત છે, અને પુંડરિક વગેરે તીર્થકર થયા વગર સિદ્ધ થયા તેઓ અજિનસિદ્ધ છે. તીર્થની સ્થાપના થયા પછી ગણધારી સિદ્ધ થયા તેઓ તીર્થસિદ્ધો છે, અને તીર્થની સ્થાપના થયા પૂર્વે મરુદેવામાતા સિદ્ધ થયા તે અતીર્થસિદ્ધ છે. ભરતમહારાજા ગૃહસ્થપણામાં કેવળજ્ઞાન પામ્યા, તેથી ગૃહીલિંગસિદ્ધ છે, અને વલ્કલચીરી અન્યદર્શનના સંન્યાસને સ્વીકારીને મોક્ષે ગયા, તેથી અન્યલિંગસિદ્ધ છે. ભગવાનના શાસનને પામીને મોક્ષે ગયા તે સાધુઓ સ્વલિંગસિદ્ધ છે. ચંદનબાળા વગેરે સાધ્વીઓ સ્ત્રીલિંગસિદ્ધ છે. ગૌતમ આદિ મુનિઓ પુરૂષલિંગસિદ્ધ છે. ગાંગેય આદિ નપુંસકલિંગસિદ્ધ છે. કરકંડુ પ્રત્યેકબુદ્ધસિદ્ધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy