SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-પર-૫૩ ૧પ૩ ભાવાર્થ - અતીન્દ્રિય પદાર્થો કેવલી કેવળજ્ઞાનમાં યથાર્થ જોઈ શકે છે અને તે જોયા પછી જગતના જીવોને આલોકમાં અને પરલોકમાં એકાંતે હિતનું કારણ બને તેવો ઉપદેશ આપે છે, અને આલોક અને પરલોકમાં એકાંતે અહિત હોય તેવી પ્રવૃત્તિનો નિષેધ કરે છે”. આ પ્રકારની સ્થિરબુદ્ધિ જેઓને છે તેવા જીવો સ્વશક્તિ અનુસાર ભગવાનના વચનના પરમાર્થને જાણવા માટે અને જાણ્યા પછી સ્વભૂમિકા અનુસાર ભગવાનના વચન અનુસાર ઉચિત પ્રવૃત્તિનું સેવન કરવા માટે ઉદ્યમ કરે છે. આવા જીવોને ભગવાનના વચનમાં જે નિશ્ચલ બુદ્ધિ છે તે સમ્યક્ત છે; અને જે જીવોને તેવી ઉત્કટ રુચિ થવા છતાં ક્યારેક રુચિની સ્લાનિ થવાથી સ્વશક્તિ અનુસાર તત્ત્વને જાણવામાં અને તત્ત્વને જાણીને યોગમાર્ગનું સેવન કરવામાં દઢ યત્ન કરતાં નથી, તેઓને પૂર્વમાં સમ્યક્ત પ્રગટેલું હોય તોપણ મંદ શ્રદ્ધાને કારણે સમ્યકત્વથી પાત પામે છે; અને તેવા જીવોને ઉપદેશની સામગ્રી મળે તો શ્રદ્ધા મંદ થતી અટકે તો સમ્યત્વથી પાત થાય નહિ અને કોઈક રીતે શ્રદ્ધા મંદ થયેલી હોય અને ઉપદેશની સામગ્રી મળે તો ફરી શ્રદ્ધા પ્રદીપ્ત બને છે, જેથી પાત થયેલું સમ્યક્ત ફરી પ્રગટે છે. પિશા અવતરણિકા : સમ્યકત્વની પ્રાપ્તિ પછી કોઈક નિમિતે સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તોપણ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલપરાવર્તનથી ધૂન કાળમાં સંસારના ઉચ્છેદની પ્રાપ્તિ બતાવીને સમ્યકત્વનું માહાભ્ય બતાવે છે – ગાથા : अंतोमुहुत्तमित्तंपि, फासियं हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्डपुग्गलपरिअट्टो चेव संसारो ।।५३।। ગાથાર્થ : અંતર્મુહૂર્ત પણ જેઓ વડે સમ્યત્ત્વ સ્પર્ધાયું, તેઓને અર્ધપુદ્ગલથી ન્યૂન પુગલ પરાવર્તન સંસાર છે. 1પ3II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy