SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-પ૧-પર છતાં ભાવથી નવતત્ત્વની શ્રદ્ધા કરે છે, તેમાં પણ સમ્યક્ત છે. તેથી એ ફલિત થાય કે જે જીવોએ સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું છે, અને સંસારથી પર એવી મુક્ત અવસ્થા જીવ માટે એકાંત સુખરૂપ છે અને તેની પ્રાપ્તિનો ઉપાય ભગવાનના વચન અનુસાર પ્રવૃત્તિ છે તેવો સ્થિર નિર્ણય છે, અને જેઓને ભગવાને જ આ નવતત્ત્વને વિસ્તારથી બતાવ્યાં છે, માટે “હું પણ આ નવતત્ત્વના પરમાર્થને જાણું અને તેને જાણીને હિતમાં પ્રવૃત્તિ કરું અને અહિતથી મારું રક્ષણ કરું,” તેવી સ્થિર શ્રદ્ધા છે, તેવા જીવો સ્વશક્તિ અનુસાર નવતત્ત્વના પરમાર્થને જાણવા માટે, અને તેને જાણીને જીવનમાં તે તત્ત્વ અનુસાર પ્રવૃત્તિ કરવા માટે ઉદ્યમ કરતા હોય, તેઓને ભાવથી નવતત્ત્વમાં શ્રદ્ધા છે, કે “આ નવતત્ત્વનું જ્ઞાન અને આચરણ આલોક અને પરલોક માટે એકાંતે હિતકારી છે, અને નવતત્ત્વના અજ્ઞાનને કારણે જ જીવ જે પ્રવૃત્તિ કરે છે તેનાથી આલોક અને પરલોકનું અહિત થાય છે અને આવી શ્રદ્ધાવાળા જીવોને નવતત્ત્વનો વિશેષ બોધ ન થયો હોય તોપણ ભાવથી શ્રદ્ધા હોવાના કારણે તેઓમાં સમ્યક્ત છે. IFપવા અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે નવતત્વના પરિજ્ઞાનથી સમ્યક્ત થાય છે, અને જેઓને નવતત્વનું પરિજ્ઞાન નથી, તેઓને પણ જો ભાવથી નવતત્વની શ્રદ્ધા હોય તો સખ્યત્ત્વ છે. તેથી હવે નવતત્વના પરિજ્ઞાતવાળા કે તવતત્ત્વના પરિજ્ઞાન વગરના જીવોમાં રહેલી ભાવથી નવતત્ત્વની શ્રદ્ધા કેવા સ્વરૂપવાળી છે, તે સ્પષ્ટ કહે છે – ગાથા : सव्वाइं जिणेसरभासियाई, वयणाई ननहा हुंति । इइ बुद्धि जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ।।५२।। ગાથાર્થ : જિનેશ્વરો વડે કહેવાયેલાં સર્વ પણ વચનો અન્યથા હોતાં નથી, એ પ્રકારની બુદ્ધિ જેના મનમાં છે, તેને નિશ્ચલ સખ્યત્ત્વ છે. પરચા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy