SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ નવતત્વ પ્રકરણ | ગાથા-૫૦ જે પ્રમાણે બીજ અત્યંત દગ્ધ થયે છતે અંકુરો પ્રાદુર્ભાવ પામતો નથી, તે પ્રમાણે કર્મબીજ દગ્ધ થયે છતે કર્મબંધનું કારણ એવો સંગનો પરિણામ નાશ થયે છતે, ભવનો અંકુરો પ્રાદુર્ભાવ પામતો નથી. (૮) (૧) પૂર્વપ્રયોગને કારણે, (૨) અસંગપણાને કારણે, (૩) બંધનો છેદ થવાને કારણે અને (૪) ઊર્ધ્વ જવાનો ગૌરવ સ્વભાવ હોવાને કારણે તદ્ અનંતર જ=નિર્વાણ પામતાંની સાથે જ, નિર્વાણ પામનાર આત્મા આલોકના અંત સુધી ઊર્ધ્વમાં જાય છે. (૯) જે પ્રમાણે કુલાલના ચક્રમાંકકુંભારના ચક્રમાં, પૂર્વના પ્રયોગથી ચક્રભ્રમણ થાય છે, પછી ઉત્તરમાં દંડ વગર પણ=ચક્રના ભ્રમણને અનુકૂળ વ્યાપાર વગર પણ, ચક્રભ્રમણની ક્રિયા થાય છે, અથવા બાણની પણછમાં તીરને ખેંચવાથી ઉત્તરમાં તીરના ગમનની ક્રિયા થાય છે, તે પ્રમાણે પૂર્વપ્રયોગથી= યોગનિરોધકાળમાં કરાયેલા યોગનિરોધ માટેના જીવના વ્યાપારથી, ઉત્તરમાં= ૧૪માં ગુણસ્થાનકના અંતમાં, સિદ્ધશિલા તરફ જવાની ક્રિયા સિદ્ધના જીવોને કહેવાઈ છે. (૧૦) જે પ્રમાણે માટીના લેપવાળું તુંબડું તળાવમાં તળિયે ડૂબેલું હોય છે, અને લેપ દૂર થવાથી તુંબડું તળાવમાં પાણીની સપાટી ઉપર તરે છે, તેમ કર્મનો સંગ દૂર થવાથી સિદ્ધના જીવોની ગતિ કહેવાઈ છે. (૧૧) એરંડ, યંત્ર અને પેડામાં બંધના છેદથી જેમ ગતિ થાય છે, તેમ કર્મબંધનના વિચ્છેદથી સિદ્ધના જીવોની પણ ગતિ થાય છે અર્થાત્ જેમ કોઈ યંત્ર ગતિવાળું હોય અને તેની ગતિના અવરોધ અર્થે કોઈ બંધન કરવામાં આવેલ હોય, અને બંધનનો છેદ થાય તો યંત્રની ગતિ થાય છે. વળી, જેમ કોષમાં રહેલું એરંડાનું બીજ કોષનું બંધન તૂટતાં જ ઊડીને ઊંચે ઊછળે છે તેમ કર્મનું બંધન ખસવાથી જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૧૨) ઊર્ધ્વગૌરવધર્મવાળા=ઊર્ધ્વગમન કરે એવા ગૌરવ ધર્મવાળા જીવો છે, અને અધોગૌરવ ધર્મવાળા પુદ્ગલો છે, એ પ્રમાણે ભગવાન વડે કહેવાયું છે. (૧૩) જે પ્રમાણે લોષ્ટ=ઢેફાનું અધોગમન, વાયુનું તિહુઁગમન અને અગ્નિનું ઊર્ધ્વગમન સ્વભાવથી પ્રવર્તે છે, તે પ્રમાણે આત્માની ઊર્ધ્વગતિ છે. (૧૪) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy