SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૮-૪૯ ભાવાર્થ - (૪) સ્પર્શના ધાર :- સિદ્ધના જીવો જેટલા આકાશમાં અવગાહીને રહેલા છે, તેટલા આકાશપ્રદેશની તેમજ આજુબાજુ સ્પર્શનારા આકાશપ્રદેશોની તેઓને સ્પર્શના હોય છે. તેથી અવગાહનાના પ્રદેશો કરતાં સ્પર્શનના પ્રદેશોની સંખ્યા અધિક છે. (૫) કાળ દ્વારઃ- એક સિદ્ધના જીવને આશ્રયીને સિદ્ધનો કાળ સાદિ અનંત છે; કેમ કે જ્યારે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે તે કાળનો પ્રારંભ થાય છે અને સદા સિદ્ધ અવસ્થામાં રહે છે, તેથી અનંતકાળ છે. (૯) અંતર દ્વાર - સિદ્ધમાં ગયા પછી કોઈ જીવ સિદ્ધના ભવથી પ્રતિપાતને પામતો નથી. તેથી જેમ એક વખત મનુષ્યભવ પ્રાપ્ત કર્યા પછી ફરી મનુષ્યભવની પ્રાપ્તિમાં અંતર છે, તેમ સિદ્ધ અવસ્થા પામ્યા પછી ફરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિમાં અંતર નથી. II૪૮ અવતરણિકા - ગાથા-૪૩માં બતાવેલ નવ દ્વારમાંથી ક્રમ પ્રાપ્ત, સિદ્ધના જીવો સર્વ જીવોના કેટલા ભાગમાં છે તે રૂ૫ સાતમું ભાગ દ્વાર, અને સિદ્ધના જીવો કયા ભાવમાં વર્તે છે, તે રૂપ આઠમું ભાવ દ્વાર બતાવે છે – ગાથા : सव्वजियाणमणंते, भागे ते तेसिं दंसणं नाणं । खइए भावे परिणा-मिए अ पुण होइ जीवत्तं ।।४९।। ગાથાર્થ : સર્વ જીવોના અનંતમા ભાગમાં તેઓ છેકસિદ્ધના જીવો છે. તેઓમાં દર્શન-જ્ઞાન ક્ષાયિકભાવનાં છે અને વળી પારિણામિક ભાવમાં જીવવા છે. ll૪૯II ભાવાર્થ :(૩) ભાગદ્વાર :- જગતમાં જેટલા જીવો છે, તેના અનંતમા ભાગમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy