SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૪૭-૪૮ ભાવાર્થ: (૨) દ્રવ્યપ્રમાણદ્વાર ઃ- દ્રવ્યપ્રમાણથી વિચારણા કરીએ તો સિદ્ધના જીવો સંખ્યાથી અનંતા છે; કેમ કે સાધના કરીને અનાદિકાળથી સિદ્ધમાં જવાનો પ્રવાહ અનાદિનો છે. તેથી સિદ્ધમાં હંમેશાં અનંતા જીવોની પ્રાપ્તિ છે. (૩) ક્ષેત્રદ્વાર :- વળી, સિદ્ધના જીવો કેટલા ક્ષેત્રમાં છે, તેની વિચારણા બતાવતાં કહે છે -- એક સિદ્ધના જીવને આશ્રયીને વિચારીએ તો એક સિદ્ધનો આત્મા લોકના અસંખ્યાતમાભાગમાં છે, અને સર્વ સિદ્ધના જીવોને આશ્રયીને વિચારીએ તોપણ લોકના અસંખ્યાતમાભાગમાં સર્વ સિદ્ધના જીવો છે. ફક્ત એક જીવના ક્ષેત્રને આશ્રયીને વિચારીએ તો લોકનો અસંખ્યાત ભાગ ક્ષેત્રનું પ્રમાણ અલ્પ છે, અને જે જીવ સિદ્ધ થયેલ છે, તેના પૂર્વના શરીરના ત્રીજા ભાગ ન્યૂન દેહની અવગાહના પ્રમાણ ક્ષેત્રમાં છે, અને સર્વ જીવોને આશ્રયીને વિચારીએ તો ૪૫ લાખ યોજન સિદ્ધશિલા છે, એટલા ક્ષેત્રમાં ઉપરના ભાગમાં અવગાહીને સર્વ સિદ્ધના જીવો રહેલા છે. II૪૭ના અવતરણિકા : ગાથા-૪૩માં બતાવેલ નવ દ્વારમાંથી ક્રમપ્રાપ્ત ચોથા, પાંચમા, છઠ્ઠા દ્વારરૂપ સ્પર્શનાદ્વાર, કાળદ્વાર અને અંતરદ્વારથી મોક્ષતત્ત્વને બતાવે છે – ગાથા: फुसणा अहिया कालो, इग- सिद्ध पडुच्च साइओणतो । -પડુષ્ય સાફોળતો 1 पडिवायाऽभावाओ, सिद्धाणं अंतरं नत्थि ।।४८ ।। ૧૩૭ ગાથાર્થ ઃ સ્પર્શના અધિક છે=જેટલા ક્ષેત્રમાં અવગાહના છે તેના કરતાં સ્પર્શના અધિક છે. એક સિદ્ધને આશ્રયીને સાદિ અનંતકાળ છે. સિદ્ધોનો પ્રતિપાતનો અભાવ હોવાને કારણે=સિદ્ધમાં ગયા પછી સંસારમાં આગમનો અભાવ હોવાને કારણે, અંતર નથી=સિદ્ધના ભવની પ્રાપ્તિ પછી ફરી સિદ્ધના ભવની પ્રાપ્તિમાં અંતર નથી. ।।૪૮।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy