SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૯-૫૦ ૧૩૯ સિદ્ધના જીવો છે; જોકે આદિ વગરના અનંતકાળથી સિદ્ધિગમન ચાલુ છે, તેથી અનંતા જીવો સિદ્ધમાં છે, તોપણ સિદ્ધના તે સર્વ જીવો સંસારી જીવો કરતાં અનંતમા ભાગમાં છે. (૮) ભારદ્વાર :- વળી, સિદ્ધના જીવોમાં ક્ષાયિકભાવરૂપે દર્શન અને જ્ઞાન રહેલાં છે અને પરિણામિક ભાવરૂપે જીવત્વ રહેલું છે. તે સિવાય ઔદયિકભાવ, ક્ષાયોપથમિકભાવ કે ઔપથમિકભાવ સિદ્ધના જીવોમાં નથી. II૪૯ll અવતરણિકા : ગાથા-૪૩માં નવ દ્વારોથી સિદ્ધના જીવોની વિચારણા શરૂ કરેલ. તેમાંથી ક્રમ પ્રાપ્ત છેલ્લું “અલ્પબહુવૈદ્વાર' હવે બતાવે છે – ગાથા : थोवा नपुंससिद्धा, थी नर सिद्धा कमेण संखगुणा । इअ मुक्खतत्तमेअं नवतत्ता लेसओ भणिआ ।।५।। ગાથાર્થ : - થોડા નપુંસકસિદ્ધ છે અને સ્ત્રીસિદ્ધ અને પુરુષસિદ્ધ ક્રમથી સંખ્યાતગુણા છે. આ પ્રમાણે આ મોક્ષતત્વ છે. નવતત્ત્વો લેશથી કહેવાયાં. II૫oll ભાવાર્થ : (૯) અલ્પબદુત્વવાર :- જે સિદ્ધના જીવો છે, તેમાં નપુંસકલિંગથી સિદ્ધ થનારા સૌથી ઓછા છે, તોપણ સંખ્યાથી અનંતા છે, અને સ્ત્રીલિંગથી સિદ્ધ થનાર નપુંસકલિંગથી સિદ્ધ થનાર કરતાં સંખ્યાતગુણા છે, અને પુરૂષલિંગથી સિદ્ધ થનાર સ્ત્રીલિંગથી સિદ્ધ થનાર કરતાં સંખ્યાતગુણા છે. આ પ્રમાણે અર્થાત્ અત્યાર સુધી વર્ણન કર્યું એ પ્રમાણે આ મોક્ષતત્ત્વ છે. આ રીતે નવે તત્ત્વોનું લેશથી કથન કરાયું, તેથી નવે તત્ત્વોનું વર્ણન અહીં પૂરું થાય છે. નવતત્ત્વો વિશે જે અવશિષ્ટ વક્તવ્ય છે તે હવે પછીની ગાથામાં બતાવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy