SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ નવતત્વ પ્રકરણ | ગાથા-૪૩-૪૪ (૪) સ્પર્શના દ્વાર :- સિદ્ધના જીવો કેટલા આકાશપ્રદેશોને સ્પર્શે છે, તે અહીં બતાવ્યું છે. (૫) કાળ દ્વારઃ- સિદ્ધના જીવોને સિદ્ધ અવસ્થામાં રહેવાનો કાળ કેટલો છે તે બતાવે છે. (૬) અંતર દ્વાર :- સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ પછી ફરી સિદ્ધ અવસ્થાની પ્રાપ્તિ નથી, તેથી જેમ મનુષ્ય જન્મની પ્રાપ્તિમાં અંતર પ્રાપ્ત થાય છે તેમ સિદ્ધના જીવોને અંતરની પ્રાપ્તિ નથી તે બતાવે છે. (૭) ભાગ દ્વારઃ- સર્વ જીવોના કેટલા ભાગમાં સિદ્ધના જીવો છે, તે ભાગ દ્વારમાં બતાવે છે. (૮) ભાવ દ્વારઃ- સિદ્ધના જીવો કયા ભાવોમાં છે, તે આ કારમાં બતાવે છે. (૯) અલ્પબદુત્વ દ્વાર :- સ્ત્રીલિંગ આદિ ત્રણ લિંગોમાં સિદ્ધના જીવોનું પરસ્પર અલ્પબદુત્વ આ દ્વારમાં બતાવે છે. II૪all અવતરણિકા : પૂર્વગાથામાં મોક્ષની વિચારણા માટેનાં નવ દ્વારોનાં નામ બતાવ્યાં. તેમાં સત્પદપ્રરૂપણારૂપ પ્રથમ દ્વાર બતાવે છે – ગાથા :संतं सुद्धपयत्ता, विज्जंतं खकुसुमंच न असंतं । मुक्खत्ति पयं तस्स उ, परूवणा मग्गणाईहिं ।।४४ ।। ગાથાર્થ : મોક્ષ એ પ્રકારનું પદ સત્ છે વિધમાન છે; કેમ કે શુદ્ધપદપણું છે. આકાશકુસુમની જેમ અસત્ નથી. વળી, તેની પ્રરૂપણા માર્ગણા દ્વારા થાય છે. ll૪૪TI ભાવાર્થ (૧) સત્પદપ્રરૂપણાદ્વાર :- જે સામાસિક પદ ન હોય અને વ્યુત્પત્તિથી જે શબ્દ બનેલો હોય તે શબ્દને શુદ્ધ પદ કહેવાય છે. મોક્ષપદ સામાસિક પદ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy