SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૮, ૩૯ (૪) મોહનીયકર્મ - મદ્યપાન જેવું મોહનીયકર્મ છે. જેમ મદ્યપાન કરનાર પુરુષ યથાતથા અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરે છે, તેમ મોહને વશ જીવો યથાતથા અસંબદ્ધ પ્રવૃત્તિઓ કરે છે. (૫) આયુષ્યકર્મ :- બેડી જેવું આયુષ્યકર્મ છે. બેડીમાં બંધાયેલો પુરુષ સ્થાનાંતર જવા ઇચ્છે તોપણ જઈ શકતો નથી, તેમ આયુષ્યથી દેહની સાથે બંધાયેલો જીવ દેહને છોડીને અન્યત્ર જઈ શકતો નથી. (૬) નામકર્મ - જેમ ચિત્રકાર વિવિધ પ્રકારનાં ચિત્રો કરે છે, તેમ નામકર્મ જીવનાં અનેક પ્રકારનાં સ્વરૂપો કરે છે. (૭) ગોત્રકર્મ :- જેમ કુંભાર સારો ઘટ પણ બનાવે અને ખરાબ ઘટ પણ બનાવે, તેમ ગોત્રકર્મથી જીવ સારી અથવા ખરાબ અવસ્થા પ્રાપ્ત કરે છે. (૮) અંતરાયકર્મ :- જેમ ભંડારી પ્રતિકૂળ હોય તો રાજા આદિ દાન આપવા ઇચ્છતા હોય તોપણ દાન આપી શકતા નથી, તેમ જીવ દાનાદિ કરવાની ઇચ્છાવાળો હોવા છતાં અંતરાયકર્મ વિઘ્ન કરનાર હોય તો દાન કરી શકતો નથી. જે પ્રમાણે ગાથાના પૂર્વાર્ધમાં પાટા વગેરે દષ્ટાંતો બતાવ્યાં, તે પાટાદિ વસ્તુઓનો જે પ્રમાણે સ્વભાવ છે તે પ્રમાણે કર્મોનો પણ સ્વભાવ જાણવો. Il૩૮II અવતરણિકા : દષ્ટાંતથી આઠ કર્મોની પ્રકૃત્તિનો સ્વભાવ કેવો છે તે બતાવ્યું. હવે તે આઠ પ્રકૃતિનાં નામો અને તેના ઉત્તરભેદોની સંખ્યા બતાવે છે – ગાથા :इह नाणदंसणावरणवेयमोहाउनामगोआणि । विग्धं च पण नव दु अट्ठवीस चउ तिसय दु पणविहं ।।३९।। ગાથાર્થ : રૂદ=સંસારમાં જ્ઞાન-દર્શનનું આવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને વિજ્ઞ=અંતરાય, આઠ કર્મો છે અને તેનાં ઉત્તર ભેદો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy