SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ નવતત્વ પ્રકરણ / ગાથા-૩૮ અવતરણિકા : કર્મોની મૂળ પ્રકૃતિ આઠ છે. તે આઠ પ્રકૃતિઓનો કેવો કેવો સ્વભાવ છે, તે દાંતથી બતાવે છે – ગાથા - पडपडिहारऽसिमज्जहडचित्तकुलालभंडगारीणं । जह एएसिं भावा, कम्माणऽवि जाण तह भावा ।।३८।। ગાથાર્થ - પગપાટો પાટા જેવું જ્ઞાનાવરણીય કર્મ છે, દરર દ્વારપાળ જેવું દર્શનાવરણીય કર્મ છે, મસિમધથી લેપાયેલ કે નહિ લેપાયેલ તલવાર જેવું વેદનીયકર્મ છે, મM મધ જેવું મોહનીયકર્મ છે, દ=બેડી જેવું આયુષ્યકર્મ છે, ચિત્ત ચિત્રકાર જેવું નામકર્મ છે, યુનાન કુંભાર જેવું ગોત્રકર્મ છે, અને ભંડારી ભંડારી જેવું અંતરાયકર્મ છે. જે પ્રમાણે આમના ભાવો પાટા વગેરેના ભાવો છે, તે પ્રમાણે કર્મોના પણ ભાવો જાણવા. ll૩૮ll ભાવાર્થ - (૧) જ્ઞાનાવરણીયકર્મ - જેમ ચક્ષુ ઉપર પાટો બાંધેલો હોય તો ચક્ષુથી જ્ઞાન થતું નથી, તેમ જ્ઞાનાવરણીયકર્મ આત્માના જ્ઞાનને અવરોધ કરવા માટે પાટા જેવું છે. (૨) દર્શનાવરણીયકર્મ - જેમ દ્વારપાળ રાજસભામાં પ્રવેશ કરતાં અવરોધ કરે તો રાજાનું દર્શન થઈ શકે નહિ, તેમ દર્શનાવરણીયકર્મ પદાર્થનું સામાન્ય દર્શન કરવામાં અવરોધ કરે છે. (૩) વેદનીયકર્મ :- જેમ મધથી લેપાયેલ તલવારની ધાર ચાટતી વખતે સુખ થાય છે અને જો જીભ કપાય તો દુઃખનું વદન થાય છે, તેમ વેદનીયકર્મમાં અનુકૂળ વેદનીયથી મધને ચાટવા તુલ્ય સુખ થાય છે અને પ્રતિકૂળ વેદનીયથી જીભ કપાવા તુલ્ય દુઃખનું વેદના થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy