SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૭ ૧૨૩ જેમ કે જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ આત્માના જ્ઞાનને આવરવાનો છે. તેથી બંધાયેલા કર્મનો જે કાર્ય કરવાનો સ્વભાવ હોય તે પ્રકૃતિબંધ કહેવાય. (ii) સ્થિતિબંધ:- બંધાયેલાં કર્મ કેટલા કાળ સુધી ફળ આપવાની મર્યાદાવાળાં છે, તે સ્થિતિબંધ કહેવાય. જીવ પ્રતિસમય કોઈક અધ્યવસાયથી કર્મ બાંધે છે, અને બંધાયેલું કર્મ તેના અબાધાકાળ સહિત કોટાકોટી સાગરોપમ પ્રમાણ સ્થિતિવાળું હોય છે અર્થાત્ અબાધાકાળને છોડીને બંધાયેલું કર્મ ઉદયમાં આવે તો અબાધાકાળ ન્યૂન કોટાકોટી સાગરોપમ કાળમર્યાદા સુધી ક્રમસર ફળ બતાવે તેવા સામર્થ્યવાળું હોય છે. તેથી અબાધાકાળ સહિત વિપાક આવવાનું કાલમાન સ્થિતિબંધ છે. (iii) અનુભાગબંધ :- બંધાયેલા કર્મમાં ફળ આપવાની શક્તિરૂપ રસ કેટલા પ્રમાણમાં છે, તે અનુભાગ બંધ કહેવાય. કર્મપુદ્ગલો જીવથી ગ્રહણ થતાં પૂર્વે કાર્મણવર્ગણારૂપે હોય છે. તેમાં ફળ આપવાને અનુકૂળ કોઈ શક્તિ નથી, પરંતુ જીવના અધ્યવસાયના નિમિત્તને પામીને જીવ સાથે બંધાયેલા કર્મમાં ચોક્કસ પ્રકારનું ફળ આપવાની શક્તિ પેદા થાય છે, જેને સ્વભાવ કહેવામાં આવે છે; અને તે સ્વભાવમાં ફળ આપવાની શક્તિની તરતમતાને રસની તરતમતા કહેવાય છે, અને તેને અનુભાગબંધ કહેવાય છે. (iv) પ્રદેશબંધ :- બંધાયેલા કર્મના દળિયાનો જથ્થો પ્રદેશબંધ કહેવાય. જીવના પ્રયત્નથી બંધાયેલાં કર્મો એક-બે સંખ્યામાં નથી, પરંતુ ઘણી મોટી સંખ્યામાં છે, અને તે કર્મપુદ્ગલોના દળનો જથ્થો તેને પ્રદેશબંધ કહેવાય. સંક્ષેપથી એ ફલિત થાય કે જીવ કોઈક અધ્યવસાય અને વીર્યવ્યાપાર દ્વારા કર્મયુગલોને ગ્રહણ કરે છે, તે કર્મપુદ્ગલોનો જથ્થો તે પ્રદેશબંધ છે. તે કર્મપુદ્ગલોમાં પેદા થયેલો જે રસ છે તે રસનો જે પ્રકારનો કાર્ય કરવાનો સ્વભાવ છે તે પ્રકૃતિબંધ છે, અને કર્મપુદ્ગલોમાં પેદા થયેલ રસની તરતમતા છે, તે અનુભાગબંધ છે, અને જીવ દ્વારા ગ્રહણ થયેલા કર્મપુદ્ગલનો જથ્થો બંધથી માંડીને અબાધાકાળ સુધીના સમયને છોડીને વિપાકમાં આવે ત્યારે જેટલા કાળ સુધી તે પ્રકારના ફળને આપવા માટે સામર્થ્યવાળો છે, તે કાળની મર્યાદા સ્થિતિબંધ છે. Il૩ળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy