SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ ૧૧૫ અર્થ એ ફલિત થાય કે અનશન આદિ તપ સમ્યફ થાય તો જ નિર્જરાનું કારણ છે, અન્યથા નહિ. (i) સમ્યમ્ અનશન તપ : संयमरक्षणार्थं कर्मनिर्जरार्थं च चतुर्थषष्ठाष्टमादि सम्यगनशनं तपः ।। (तत्त्वार्थसूत्र ૩. , સૂ. ૨૨, માણ) સંયમના રક્ષણ માટે અને કર્મની નિર્જરા માટે છઠ્ઠ-અઠ્ઠમ આદિ જે તપ કરાય છે તે સમ્યગુ અનશન તપ છે. આશય એ છે કે સાધુ વિકારોના નિરોધ અર્થે અને કર્મની નિર્જરા અર્થે સમભાવની વૃદ્ધિ થાય તે રીતે ઉપવાસ આદિ જે તપ કરે તે સમ્યગુ અનશન તપ છે. (ii) સમ્યમ્ અવમોદર્ય તપ अवमौदर्यम् – अवममित्यूननाम, अवममुदरमस्य (इति) अवमोदरः, अवमोदरस्य ભાવ: મવમૌર્યમ્ II (તત્ત્વાર્થસૂત્ર સ. , સૂ. ૨૨, માર્થ) એવમ્ શબ્દ ઊણ અર્થમાં છે, અને અવમ્ ઉદર છે જેને તે અવમ્ ઉદર, અને તેનો જે ભાવ તે અવમૌદર્ય તપ=ઊણોદરી. ઉત્કૃષ્ટ અને અપકૃષ્ટને છોડીને મધ્યમ કવલથી ત્રણ પ્રકારનું ઊણોદરી તપ થાય છે. (૧) અલ્પ આહારરૂપ ઊણોદરી, (૨) ઉપાધરૂપ ઊણોદરી, અને (૩) પૂર્ણ ભોજનથી કંઈક ન્યૂન ઊણોદરી. (૧) અલ્પ આહારરૂપ ઊણોદરી - એક કવલથી માંડીને પોતાના શરીરની અપેક્ષાએ ભોજનના ચોથા ભાગ જેટલો અલ્પ આહાર તે અલ્પ આહારરૂપ ઊણોદરી કહેવાય. (૨) ઉપાર્ધરૂપ ઊણોદરી - અર્ધા ભોજનથી ચાર કવલ ન્યૂન તે ઉપાધે ઊણોદરી કહેવાય. પુરુષોને ૩૨ કવલનો આહાર છે, તેનું અર્ધ અર્થાત્ ૧૬ કવલમાં ચાર કવલ ન્યૂન કરવાથી ૧૨ કવલનો આહાર તે પુરુષો માટે ઉપાધ ઊણોદરી કહેવાય, અને સ્ત્રીઓને ૨૮ કવલનો આહાર હોવાથી તેનું અધું તે ૧૪ કવલમાં ચાર કવલ ન્યૂન કરવાથી ૧૦ કવલનો આહાર તે સ્ત્રીઓ માટે ઉપાધે ઊણોદરી કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy