SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ (૩) પૂર્ણ ભોજનથી કંઈક ન્યૂન ઊણોદરી :- પૂર્ણ ભોજનથી એકાદ કવલ ન્યૂન તે કંઈક ન્યૂન ઊણોદરી છે. ૧૧૬ સામાન્યથી પુરુષનો ૩૨ અને સ્ત્રીઓનો ૨૮ કવલ આહાર છે, અને તે કવલ મોઢામાં સમાય તેટલો મોટો પણ નહિ અને તદ્દન અલ્પ પણ નહિ, પણ મધ્યમ કવલના આહારની ગણતરીથી થાય છે. આ ઊણોદરી તપ પણ સંયમની રક્ષા અર્થે અને નિર્લેપભાવની વૃદ્ધિ દ્વારા કર્મનિર્જરા અર્થે કરવામાં આવે તો સમ્યગ્ ઊણોદરી તપ કહેવાય. (iii) સમ્યગ્ વૃત્તિસંક્ષેપ તપ : वृत्तिपरिसङ्ख्यानमनेकविधम् । तद्यथा-उत्क्षिप्तनिक्षिप्तान्तप्रान्तचर्यादीनां सक्तुकुल्माषौदनादीनां चान्यतममभिगृह्यावशेषस्य प्रत्याख्यानम् । (तत्त्वार्थसूत्र अ. ९, સૂ. ૨૧, ભાષ્ય) સાધુની ભિક્ષાચર્યા તેનું પરિગણન તે વૃત્તિપરિસંખ્યાન તપ છે, અને તે આ પ્રમાણે છે - ગોચરી માટે નીકળતી વખતે સાધુ સંકલ્પ કરે કે ઉત્ક્ષિપ્ત શક્ત આદિ વહોરાવે તો ગ્રહણ કરીશ, તે સિવાય નહિ, અથવા નિક્ષિપ્ત શક્યું આદિ વહોરાવે તો ગ્રહણ કરીશ, તે સિવાય નહિ, અથવા ભાજનના અંતમાં રહેતું હોય તેવું શક્ત, ભાષ=અડદ અને ઓદન આદિ ગ્રહણ કરીશ તે સિવાય નહિ. અહીં ‘આદિ’ શબ્દથી ત=છાશ, મંડf=ખાખરા વગેરેનું ગ્રહણ છે. (શક્યુ એટલે એક પ્રકારનો ચણા આદિ કોઈપણ વસ્તુનો લોટ શેકીને બનાવવામાં આવે છે, જે ઉત્તર ભારત આદિમાં વિશેષ પ્રચલિત છે.) વળી, જેમ દ્રવ્યને આશ્રયીને ઉત્તિપ્ત આદિ વિકલ્પથી ભિક્ષા સાધુ ગ્રહણ કરે છે, તેમ ક્ષેત્ર-કાળ અને ભાવને આશ્રયીને અભિગ્રહથી સાધુ ભિક્ષા ગ્રહણ કરે છે. જેમ કોઈ સાધુ અભિગ્રહ કરે કે એક પગ ઉંબરાની બહાર અને એક પગ ઉંબરાની અંદર હોય તો જ વહોરવું તે ક્ષેત્ર અભિગ્રહ છે, ભિક્ષાકાલ ન હોય ત્યારે ભિક્ષા મળશે તો ગ્રહણ કરીશ તે કાલને આશ્રયીને કાલઅભિગ્રહ છે, વળી, હસતા હોય કે રડતા હોય આદિ ભાવવાળા ભિક્ષા આપે તો ગ્રહણ કરીશ તે ભાવને આશ્રયીને વૃત્તિસંક્ષેપ તપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy