SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૪-૩૫ ગાથા : अणसणमूणोअरिया, वित्तीसंखेवणं रसच्चाओ । कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ ।।३५ ।। ગાથાર્થ : અનશન, ઊણોઘરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા બાહ્યતા છે. Il3૫ll ભાવાર્થ - સખ્યપ્રયુનિ વહ્ય તપ: I (તસ્વાર્થસૂત્ર . ૧, સૂ. ૨૨, માણ) સ્વેચ્છાથી નિર્જરાના અર્થે પ્રાપ્ત થતા દુઃખોને સ્વીકારી લેવા અર્થાત્ જાણીને કષ્ટ સહન કરવું તે તપ છે. પરંતુ તે કષ્ટ કર્મનિમિત્ત નથી. કોઈ જીવ જાણતો હોય કે મોક્ષમાં જવા માટે નિર્લેપ થવું છે અને નિર્લેપ થવા માટે કષ્ટ પ્રત્યે દ્વેષ દૂર કરવાનો છે; તેથી સામેથી કષ્ટમાં યત્ન કરીને અથવા કષ્ટ આવી પડે તે કષ્ટ પ્રત્યે દ્વેષ ન થાય તે રીતે સ્વેચ્છાથી નિર્જરાના અર્થે સમ્યક સહન કરવા યત્ન કરે છે તે તપ છે; અને તેનાથી નિર્જરા થાય છે. વળી, તપથી ગુણની વૃદ્ધિ અને પૂર્વના તપ-સંયમના ફળથી પ્રગટ થયેલા ગુણો વિવેકપૂર્વક સહન કરાયેલા કષ્ટથી ટકી રહે છે તેથી પ્રાપ્ત થયેલા ગુણનો અપ્રતિપાત થાય છે. તેથી તપ મોક્ષનું કારણ છે. તપ બે પ્રકારનો છે : (૧) બાહ્યતપ અને (૨) અત્યંતરતપ. अनशनं १ अवमौदर्यं २ वृत्तिपरिसङ्ख्यानं ३ रसपरित्यागः ४ विविक्तशय्यासनता ५ कायक्लेशः ६ इत्येतत् षड्विधं बाह्यं तपः ।। सम्यग् योगनिग्रहो गुप्तिः (अ. ९, સૂ. ૪) ત્યત:પ્રકૃતિ સ ત્યનુવર્તતે ! (તત્ત્વાર્થસૂત્ર . ૧, સૂ. ૨૨, માણ) (૧) બાહ્યતા છ પ્રકારનો છે : સમ્યગુ અનશન, સમ્યગુ અવમૌદર્ય, સમ્યગુ વૃત્તિસંક્ષેપ, સમ્યગુ રસપરિત્યાગ, સમ્યક કાયક્લેશ, સમ્યગૂ વિવિધ શય્યાસનતા. ભાષ્યકારે છ પ્રકારના બાહ્યતપ સાથે “સમ્યક'નું યોજન કરેલ છે. એનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy