SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૨-૩૩, ૩૪-૩૫ સૂક્ષ્મસંપરામ=સૂક્ષ્મ કષાય છે જેમાં એવું સંયમ તે સૂક્ષ્મસંપરાય છે. ઉપશમશ્રેણીમાં ચઢનાર જીવોને ૧૦માં ગુણસ્થાનકે સૂક્ષ્મસંપરાયસંયમ પ્રાપ્ત થાય છે અથવા તો ૧૧માં ગુણસ્થાનકથી પાત થઈને ૧૦મા ગુણસ્થાનકે રહેલા સાધુને સૂક્ષ્મસંપરાય હોય છે. વળી, ક્ષપકશ્રેણીવાળા સાધુને ૧૦મા ગુણસ્થાનકની પ્રાપ્તિકાળમાં સૂક્ષ્મસંપરાયસંયમ હોય છે. (૫) યથાખ્યાતસંયમ : समस्तमोहनीयोपशमे तु एकादशगुणस्थानप्राप्त उपशान्तकषायो यथाख्यातसंयमी भवति । क्षपकस्तु सकलमोहार्णवमुत्तीर्णो निर्ग्रन्थो यथाख्यातसंयमी जायते । (તત્ત્વાર્થસૂત્ર 1. ૨, સૂ. ૮, સિદ્ધસેના િટીલા) જે પ્રમાણે ચારિત્રનું સ્વરૂપ શાસ્ત્રમાં આખ્યાત છે, તે પ્રકારનું સંયમ તે યથાખ્યાતસંયમ છે, જે ઉપશાંતવીતરાગ કે ક્ષાયિકવીતરાગને જ હોય છે. II૩૨-૩૩ (૭) "નિર્જરાતત્ત્વ” અને (૮) “બંધતત્ત્વ” નું વર્ણન (ગાથા-૩૪ થી ૪૨) અવતરણિકા : નિર્જરા અને બંધતત્વને બતાવે છે – ગાથા - बारसविहं तवो णिज्जरा य, बंधो चउबिगप्पो अ । पयइ-द्विइ-अणुभाग-प्पएसभेएहिं नायव्यो ।।३४।। ગાથાર્થ : બાર પ્રકારનો તપ નિર્જરા છે, અને પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશથી ચાર વિકલ્પવાળો બંધ જાણવો. ll૧૪ll અવતરણિકા : પૂર્વગાથામાં બાર પ્રકારનો તપ નિર્જરા છે એમ કહ્યું. હવે બાર પ્રકારનો તપ બતાવવા માટે પ્રથમ છ પ્રકારનાં બાહ્યતાનાં નામો બતાવે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy