SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ ૧૦૯ કુશલમૂળવાળો વિપાક ગુણકારી છે એ પ્રમાણે ચિંતવન કરવું જોઈએ. વળી, આ કુશલમૂળવાળો વિપાક શુભઅનુબંધવાળો છે અથવા નિરનુબંધવાળો છે, એ પ્રમાણે ચિંતવન કરવું. તપ અને પરિષદના જયથી થતા કર્મવિપાક સમયે જે નિર્જરા કરાય છે, તે નિર્જરાકાળમાં પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. તેથી કુશલમૂળવાળો કર્મનો વિપાક શુભ અનુબંધવાળો છે એમ કહેલ છે. વળી, તપ અને પરિષહજય દ્વારા મહાત્માઓ જ્યારે અસંગભાવમાં જાય છે, ત્યારે કુશલમૂળવાળો કર્મનો વિપાક નિરનુબંધવાળો છે અર્થાતુ ફરી કર્મબંધ ન કરાવે, પરંતુ કર્મોની નિર્જરા કરાવીને મોક્ષની પ્રાપ્તિનું કારણ બને એવો છે. માટે નિરનુબંધ છે. આ પ્રમાણે ચિંતવન કરવાથી કર્મની નિર્જરા માટે સુદઢ યત્ન થાય છે. માટે સાધુઓ આત્માને નિર્જરાભાવનાથી ભાવિત કરે છે. (૧૦) લોકસ્વરૂપભાવના : पञ्चास्तिकायात्मकं विविधपरिणाममुत्पत्तिस्थित्यन्यतानुग्रहप्रलययुक्तं लोकं चित्रस्वभावमनुचिन्तयेत्, एवं ह्यस्य चिन्तयतस्तत्त्वज्ञानविशुद्धिर्भवतीति लोकाનુપ્રેક્ષા પાપા (તસ્વાર્થસૂત્ર સ. ૧, પૂ. ૭, મીણ) પંચાસ્તિકાયાત્મક, વિવિધ પ્રકારના પરિણામોની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશથી યુક્ત એવા ચિત્ર સ્વભાવવાળા લોકનું ચિંતવન કરવું, અને આ પ્રકારે ચિંતવન કરવાથી તત્ત્વજ્ઞાનની વિશુદ્ધિ થાય છે અર્થાત્ પંચાસ્તિકાયાત્મક લોકની ઉત્પત્તિ, વિનાશ અને સ્થિતિનું ચિંતવન કરવાથી જીવાદિ સાત તત્ત્વો વિષયક શંકાદિ દોષરહિત એવું વિશુદ્ધ તત્ત્વજ્ઞાન પ્રગટે છે, જેથી યોગમાર્ગમાં સુદઢ પ્રવૃત્તિ થાય છે. અહીં વિશેષ એ છે કે આખું જગત ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત છે, એ પ્રકારે સૂક્ષ્મ યુક્તિપૂર્વક ચિંતવન કરવામાં આવે તો શાસ્ત્રવચન, યુક્તિ અને અનુભવથી આખું જગત ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત છે, એવી સ્થિર શ્રદ્ધા થાય છે અને ઉત્પાદ, વ્યય અને ધ્રુવયુક્ત આ જગતનું સ્વરૂપ સ્થિર થાય તો જીવાદિ સાત તત્ત્વવિષયક શ્રદ્ધા સ્થિર થાય છે. તેથી લોકસ્વરૂપ ભાવના યોગમાર્ગની પ્રવૃત્તિમાં અત્યંત ઉપકારક બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy