SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૩૦-૩૧ થવાના કારણે ઉદ્વિગ્ન થયેલા જીવને નિર્વેદ થાય છે, અને સંસાર પ્રત્યેના નિર્વેદવાળો જીવ સંસારના નાશ માટે સમ્યગ્ ઉદ્યમ કરી શકે છે. આ પ્રકારની સંસાર અનુપ્રેક્ષારૂપ ભાવના છે. ૧૦૨ અહીં વિશેષ એ છે કે સંસારના સ્વરૂપનું વર્ણન પૂર્વમાં કર્યું તેવી વિચારણા માત્ર કરવાથી નિર્વેદ થતો નથી, પરંતુ સંસારના સ્વરૂપના ચિંતવનથી આખો સંસાર ઇન્દ્રજાળ જેવો દેખાય, અને ચાર ગતિમાં પરિભ્રમણ પ્રત્યે ઉદ્વેગ થાય, તો સ્નેહના તાંતણાથી જીવનો જે સંસાર જીવી રહ્યો છે, તે જીવે નહિ; પરંતુ સંસારના ઉચ્છેદના ઉપાયભૂત ગુણમાત્રનો પક્ષપાત પ્રગટે, અને ગુણમાત્રનો પક્ષપાત પ્રગટે તો ગુણવાન એવા યોગીઓ પ્રત્યેનો અને ગુણમય એવા યોગમાર્ગ પ્રત્યેનો પક્ષપાત થાય, અને તે પક્ષપાત થાય તો સંસારના ઉચ્છેદ માટે સમ્યક્ ઉદ્યમ થઈ શકે. (૪) એકત્વભાવના : एक एवाहं, न मे कश्चित् स्वः परो वा विद्यते, एक एवाहं जाये, एक एव म्रिये न मे कश्चित् स्वजनसंज्ञः परजनसंज्ञो वा व्याधि- जरा मरणादीनि दुःखान्यपहरति प्रत्यंशहारी वा भवति, एक एवाहं स्वकृतकर्मफलमनुभवामीति चिन्तयेत् । एवं ह्यस्य चिन्तयतः स्वजनसंज्ञकेषु स्नेहानुरागप्रतिबन्धो न भवति परसंज्ञकेषु च द्वेषानुबन्धः, ततो निःसङ्गतामभ्युपगतो मोक्षायैव घटत इत्येकत्वानुप्रेक्षा ||४ || (तत्त्वार्थसूत्र ૩. ૧, સૂ. ૭, મા) હું એક જ છું, મારું કોઈ નથી અથવા મારા માટે સ્વ કે પર કોઈ વિદ્યમાન નથી. હું એકલો જ જન્મ છું અને એકલો જ મરું છું, સ્વજન કે પરજન કોઈ મારા વ્યાધિ, જરા, મરણાદિ દુ:ખોને અપહરણ કરનાર નથી કે તેના વિભાગને ગ્રહણ કરનાર નથી. એકલો જ હું સ્વકૃત કરાયેલા કર્મના ફળને અનુભવું છું, એ પ્રમાણે ચિંતવન કરે, અને એ પ્રમાણે ચિંતવન ક૨ના૨ને સ્વજનોમાં સ્નેહનો રાગ દૂર થાય છે અને પરજનોમાં દ્વેષ થતો નથી. તેથી જગતના જીવો પ્રત્યે રાગ વગરની પરિણતિવાળો થાય છે. તેથી મોક્ષ માટે ઉદ્યમ કરી શકે છે. અહીં વિશેષ એ છે કે ઉપ૨ વર્ણન કરાયેલા પદાર્થોનો વિચાર માત્ર ક૨વાથી એકત્વ ભાવના થતી નથી, પરંતુ પોતાનું જે પ્રકારે એકત્વ સ્વરૂપ છે તે બુદ્ધિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy