SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ કોઈ તત્ત્વજિજ્ઞાસુ પ્રશ્ન કરે ત્યારે શાસ્ત્ર અવિરુદ્ધ વચનથી ઉત્તર આપે તે પ્રશ્નવ્યાકરણવાળો=પ્રશ્નના વિશેષરૂપે અર્થના કથનવાળો વચનપ્રયોગ હોય. તે ત્રણ સ્થાને કરાતા વચનપ્રયોગ ઉપર્યુક્ત ગુણવાળા હોય તો સાધુથી સત્યધર્મનું પાલન થાય છે. (૮) સો ત્યાગધર્મ:- બાહ્ય અને અત્યંતર ઉપધિરૂપ અન્નપાનાદિ અને શરીરરૂપ આશ્રયવાળો ભાવદોષનો પરિત્યાગ ત્યાગ” કહેવાય છે. નવતત્ત્વમાં સોdi” નો અર્થ શૌચ કરેલ છે. આશય એ છે કે બાહ્ય ઉપધિ અન્ન-પાનાદિ છે અને અત્યંતર ઉપધિ શરીર છે. તે સર્વને આશ્રયીને ભાવદોષનો ત્યાગ કરવામાં ન આવે તો આત્મામાં શૌચભાવ પ્રગટ થાય નહિ. તેથી શૌચભાવ પ્રગટ કરવા અર્થે સાધુ દેહ અને અન્નપાનાદિને આશ્રયીને પણ રાગાદિ ભાવ કરતા નથી, અને સમભાવની વૃદ્ધિ થાય તે માટે દેહને ધારણ કરે છે અને દેહનું પાલન કરે છે અને સમભાવની વૃદ્ધિ થાય તે માટે અન્નપાનાદિ ગ્રહણ કરે છે તે શૌચભાવ છે. આ રીતે તત્ત્વાર્થકારે સોયંત્રત્યાગધર્મ ગ્રહણ કરેલ છે, તેને જ નવતત્ત્વકારે સોયં શૌચધર્મ ગ્રહણ કરેલ છે. (૯) લવ અકિંચનધર્મ:- શરીર, ધર્મ, ઉપકરણ આદિમાં નિર્મમપણું એ આકિંચન્ય છે અર્થાત્ કોઈપણ જડ પદાર્થમાં આસક્તિ ન રાખવી. (૧૦) વંમંત્રબ્રહ્મચર્યધર્મ:- વ્રતપરિપાલન માટે, જ્ઞાનની વૃદ્ધિ માટે અને કષાયના પરિતાપના પરિવાર માટે કષાયના ઉપશમ કે ક્ષય માટે ગુરુકુળમાં વાસ તે બ્રહ્મચર્ય છે. ગુરુકુલવાસના પર્યાયવાચી શબ્દો કહે છે – અસ્વાતંત્ર્યપણું, ગુરુઆધીનપણું અને ગુરુના નિર્દેશ પ્રમાણે રહેવાપણું તે ગુરુકુલવાસ છે. ગુરુકુલવાસમાં પાંચ આચાર્ય હોય છે : (૧) પ્રવ્રજ્યાક=દીક્ષા આપનાર, (૨) દિગાચાર્યસચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુના બોધને કરાવનાર, (૩) શ્રુતઉપદેષ્ટા-આગમનો ઉપદેશ આપનાર, (૪) શ્રુત સમુદ્ષ્ટા આગમના અર્થનો બોધ કર્યા પછી સ્થિર પરિચય કરાવનાર અને સ્થિર પરિચય કર્યા પછી બીજાને ઉપદેશ આપવાની અનુજ્ઞા આપનાર. (૫) આગમના અર્થવાચક=આગમના ઉત્સર્ગ અપવાદરૂપ અર્થને કહેનારા, આ સર્વ બ્રહ્મચર્યના વિશેષગુણો બ્રહ્મચર્યના પાલનમાં મુખ્ય અંગભૂત ગુરુકુલવાસના વિશેષગુણો છે. આ રીતે યતિધર્મના દસ ભેદો બતાવેલ છે. ર૯ll Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy