SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ ૯૫ યતનાપૂર્વક મન-વચન-કાયાથી પ્રવૃત્તિ કરવાથી ઉપર દર્શાવેલ એકથી નવ પ્રકારનો સંયમ થાય છે. ૧૦. પ્રેક્ષ સંયમ : કોઈપણ પ્રવૃત્તિ વખતે ચક્ષુથી જમીનનું અવલોકન કરીને જમીન જીવરહિત છે તેનો નિર્ણય કરીને પછી ચેષ્ટા કરે તે પ્રેક્ષ્યસંયમ છે. ૧૧. ઉપેક્ષ સંયમ : ગુરુ પ્રવચન અનુસાર સાધુઓને ક્રિયામાં વ્યાપાર કરવા પ્રેરણા કરતા હોય તો ઉપેક્ષ્ય એવી અવિધિની ક્રિયાનો સંયમ છે. અને ગૃહસ્થો પોતાનાં સંસારનાં કૃત્યોમાં પ્રમાદ કરતા હોય ત્યારે તેઓને પ્રેરણા કરવાને બદલે ઉપેક્ષા કરે તો તે ઉદ્દેશ્ય સંયમ છે. ૧૨. અપહૃત્ય સંયમ : સંયમ માટે અનુપકારક હોય તેવા વસ્ત્ર, પાત્રોને ગ્રહણ કરવાનું વર્જન ક૨વાથી અને જીવથી સંસક્ત હોય તેવા ભક્તપાનાદિને વિધિપૂર્વક પરઠવવાની ક્રિયા કરવાથી અપહૃત્ય સંયમ છે. ૧૩. પ્રસૃજ્ય સંયમ : બેસવાની, ઊઠવાની કે કોઈ વસ્તુને લેવાની મૂકવાની ક્રિયામાં ભૂમિ જીવજંતુ રહિત છે તેનું અવલોકન કરીને પછી રજોહરણથી પ્રમાર્જના કરીને તે પ્રવૃત્તિ કરે તે પ્રમૃજ્ય સંયમ છે. ૧૪. કાય સંયમ : દોડવા-કૂદવાની પ્રવૃત્તિની નિવૃત્તિ અને શુભ ક્રિયાઓમાં શાસ્ત્રવચનથી નિયંત્રિત પ્રવૃત્તિ તે કાય સંયમ છે. ૧૫. વાક્ સંયમ ઃ હિંસાના વચનો અને કઠોર વચનો આદિની નિવૃત્તિ અને મોક્ષને અનુકૂળ એવી શુભ ભાષાની પ્રવૃત્તિ તે વાક્ સંયમ છે. ૧૬. મન સંયમ : દ્રોહ, અભિમાન, ઇર્ષ્યા આદિની નિવૃત્તિ અને ધર્મધ્યાન આદિમાં પ્રવૃત્તિ તે મન સંયમ છે. ૧૭. ઉપકરણ સંયમ : જ્યારે શાસ્ત્રના પદાર્થોને ગ્રહણ અને ધારણની શક્તિવાળા સાધુઓ હતા અને દીર્ઘ આયુષ્યવાળા હતા, ત્યારે પુસ્તકનું પ્રયોજન ન હતું, અને કાળની હાનિના કારણે શાસ્ત્રના ગ્રહણ અને ધારણની શક્તિના અભાવના કારણે સાધુને પુસ્તક ગ્રહણની અનુજ્ઞા છે, એ પ્રમાણે કાલની અપેક્ષાએ પુસ્તકાદિને ગ્રહણ-અગ્રહણ કરવાથી ઉપકરણ સંયમ થાય છે. (૭) સi=સત્યવચનધર્મ : સત્યવચનધર્મનો અર્થ ‘તત્ત્વાર્થભાષ્ય’ પ્રમાણે કરેલ છે. અર્થ હોતે છતે થનારું વચન તે સત્યવચન કહેવાય. અર્થાત્ પદાર્થ જે પ્રમાણે હોય તે પ્રમાણે તે પદાર્થનું વચન કરાય તે સત્યવચન છે, અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy