SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ (૪) મુન્ની મુક્તિધર્મ - તત્ત્વાર્થકારે શૌચધર્મ તરીકે જે ગ્રહણ કરેલ છે તેને નવતત્ત્વમાં “મુત્તી' તરીકે ગ્રહણ કરેલ છે. લોભનો અભાવ તે મુક્તિ છે અથવા આત્માની પવિત્રતા તે “મુત્તી' છે. આત્માને વસ્તુ પ્રત્યેનો અભિન્ડંગ છે તે લોભ છે, અને અભિવૃંગનો અભાવ થાય તે શૌચ છે અને તે શૌચ એ જ લોભથી મુત્તી-મુક્તિ છે. ભાવવિશુદ્ધિ, નિષ્કલુષતા=ફ્લેશ વગરનું ચિત્ત, ધર્મસાધનમાત્રમાં પણ અભિવૃંગનો અભાવ, એ સર્વ મુક્તિના પર્યાયવાચી શબ્દો છે. લોભથી અભિભૂત થયેલો જીવ આ ભવ અને પરભવમાં અશુભ ફળ આપે તેવાં અશુભ કર્મો બાંધે છે અને ઉપદેશ આપતાં પણ શ્રેયને સ્વીકારતો નથી. તેથી લોભથી મુક્તિ એ ધર્મ છે. (૫) તવ=તપધર્મ :- પ્રકીર્ણ તપ અનેક પ્રકારનો છે. છ પ્રકારનો અત્યંતર તપ અને છ પ્રકારનો બાહ્યતા છે. તેનું વિશેષથી વર્ણન ‘નિર્જરા તત્ત્વમાં કરેલ છે. (૯) સંન=સંયમધર્મ - મન, વચન અને કાયાના યોગોનો નિગ્રહ, સંયમ છે, અને તે સત્તર પ્રકારનો છે. (૧) પૃથ્વીકાયનો સંયમ (૨) અપૂકાયનો સંયમ (૩) તેઉકાયનો સંયમ (૪) વાયુકાયનો સંયમ (૫) વનસ્પતિકાયનો સંયમ () બેઇન્દ્રિયનો સંયમ (૭) તે ઇન્દ્રિયનો સંયમ (૮) ચઉરિન્દ્રિયનો સંયમ (૯) પંચેન્દ્રિયનો સંયમ (૧૦) પ્રેક્ષ્યનો સંયમ (૧૧) ઉપેક્ષ્યનો સંયમ (૧૨) અપહત્યનો સંયમ (૧૩) પ્રસૃજ્યનો સંયમ (૧૪) કાયનો સંયમ (૧૫) વાસંયમ (૧૬) મનસંયમ (૧૭) ઉપકરણસંયમ ૧ થી ૯. પૃથ્વીકાય આદિથી પંચેન્દ્રિય જીવોનો સંયમ : મન-વચન-કાયાના યોગોનો શાસ્ત્રવિધિ અનુસાર નિગ્રહ એ સંયમ છે; અને તે સંયમ પૃથ્વી આદિથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોને લેશ પણ પીડા ન થાય, કોઈનું અહિત ન થાય, અને કોઈના કષાયના ઉદ્રકમાં પોતે નિમિત્ત ન બને તે રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy