SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ અવતરણિકા : પૂર્વગાથામાં સંવરતા ૫૭ ભેદોમાંથી સમિતિ, ગુપ્તિ અને પરિષહોતું વર્ણન કર્યું. હવે દસ પ્રકારના યતિધર્મને બતાવે છે નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૯ ગાથા : खंती मद्दव अज्जव, मुत्ती तव संजमे अ बोधव्वे | सच्चं सोअं आकिंचणं च बंभं च जइधम्मो ।। २९ ।। ગાથાર્થઃ ભાવાર્થ :દસ યતિધર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, મુક્તિ, તપ, સંયમ, સત્ય, અકિંચન અને બ્રહ્મચર્ય, એ યતિધર્મ જાણવો. II૨૯॥ - (૧) અંતી=ક્ષમાધર્મ :- ક્ષમા, તિતિક્ષા, સહિષ્ણુપણું અને ક્રોધનો નિગ્રહ, એ ક્ષમાના એકાર્થવાચી શબ્દો છે. ક્રોધના નિમિત્તનો આત્મામાં સદ્ભાવ છે કે અસદ્ભાવ છે એમ ચિંતવન કરીને ક્ષમા કરવી જોઈએ. જેમ કોઈ પોતાના દોષો કહે અને તે દોષો પોતાનામાં હોય તો વિચારે કે પર વડે કહેવાયેલા દોષો મારામાં છે, માટે મારે અરુચિ કરવી જોઈએ નહિ. વળી, ૫૨ વડે કહેવાયેલા દોષો પોતાનામાં ન હોય તો આ પુરુષ અજ્ઞાનથી કહે છે, તેમ વિચારીને ક્ષમા ધારણ કરવી જોઈએ. Jain Education International સોગં=ત્યાગ, વળી, ક્રોધથી થતા અન્ય દોષોના ચિંતવનથી ક્ષમા ધારણ કરવી જોઈએ અર્થાત્ ક્રોધને કારણે વિદ્વેષ=વ્યાકુળતા, બીજાની હિંસા, સ્મૃતિભ્રંશ અને વ્રતલોપ આદિ દોષો થાય છે, તેમ ચિંતવન કરીને ક્ષમા ધા૨ણ ક૨વી જોઈએ. વળી, ક્રોધ કરવો એ બાલસ્વભાવ છે, એમ વિચારીને ક્ષમા ધા૨ણ ક૨વી જોઈએ. વળી, પરથી કોઈપણ પ્રતિકૂળતા આવે ત્યારે આ મારાં કર્મકૃત ફળ છે, એમ વિચાર કરીને અન્યથી થતા ઉપદ્રવમાં ક્ષમા ધારણ કરવી જોઈએ. વળી, ક્ષમાના સ્વસ્થતા આદિ ગુણોનું ચિંતવન કરીને ક્ષમા ધારણ ક૨વી For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy