SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ નવતત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ (૧૮) મલપરિષહનો જય :- રજ વગેરે ધૂળ શરીર ઉપર લાગેલી હોય, પરસેવાના સંસર્ગથી કઠણ થઈ ગયેલ હોય, અને ઉનાળાની ગરમીના કારણે દુર્ગધથી મહાઉદ્વેગને પેદા કરે તેવો મલ શરીર ઉપર થયો હોય, તો પણ તેને દૂર કરવા માટે સાધુ અભિલાષ પણ ન કરે, પરંતુ સમભાવની વૃદ્ધિ થાય એવો યત્ન કરે તો તે સાધુએ મલપરિષહનો જય કર્યો કહેવાય. (૧૯) સત્કારપરિષહનો જય :-સંયમી સાધુનો ભક્તિથી કોઈ આહાર, વસ્ત્રાદિથી સત્કાર કરતા હોય, અને તેમના ગુણોનું ઉત્કીર્તન કરતા હોય, કે કોઈ સત્કાર ન પણ કરતા હોય, તોપણ લોકોથી પોતે સત્કારિત છે કે અસત્કારિત છે એ પ્રકારના ભાવને કર્યા વગર સમભાવમાં ચિત્તને રાખે તો તે સાધુએ સત્કારપરિષહનો જય કર્યો કહેવાય. (૨૦) પ્રજ્ઞાપરિષહનો જય :- કોઈ મહાત્મા પાસે બુદ્ધિ અતિશય હોય તોપણ ગર્વને ધારણ કરે નહિ તો તે મહાત્માએ પ્રજ્ઞાપરિષહનો જય કર્યો કહેવાય. (૨૧) અજ્ઞાનપરિષહનો જય :- કોઈ મહાત્મા પાસે બુદ્ધિ અલ્પ હોવાને કારણે શાસ્ત્રના પરમાર્થને જાણવામાં સ્કૂલના પામતા હોય, તોપણ અદીનભાવથી પોતાના તે પ્રકારના કર્મને સહન કરે અને સમભાવની વૃદ્ધિમાં યત્ન કરે તો તે મહાત્માએ અજ્ઞાનપરિષહનો જય કર્યો કહેવાય. (૨૨) સમ્યકત્વપરિષહનો જય:- કોઈ મહાત્મા સંયમમાં સારો ઉદ્યમ કરતા હોય તો વિચારે કે “હું બધા પાપોથી વિરત છું, પ્રકૃષ્ટ તપ કરું છું, સર્વથા સંગ વગરનો છું' તોપણ ધર્મ-અધર્મ કે દેવનારકાદિ ભાવોને જોઈ શકું તેવું જ્ઞાન પ્રગટ થતું નથી, તેથી ભગવાનનું વચન સત્ય જણાતું નથી, તે પ્રકારનો સંદેહ થાય તે સમ્યકત્વમાં પરિષહ છે. પરંતુ તેવો સંદેહ કર્યા વગર, મારાં ભૂતકાળનાં તેવાં કર્મ છે કે જેથી આ રીતે સંયમમાં ઉદ્યમ કરવા છતાં પણ તે કર્મો નાશ પામતાં નથી, જેથી અતીન્દ્રિય એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે નરકાદિ ભાવોને જોવાની શક્તિ પ્રગટ થઈ નથી, એ પ્રકારનું ભાવન કરીને ચિત્તને સમ્યકત્વમાં સ્થિર કરે તો તે સાધુને સમ્યકત્વપરિષહનો જય છે. આ પ્રમાણે બાવીસ પરિષહનો જય સાધુ કરે છે. ૨૭-૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy