SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ નવતત્ત્વ પ્રકરણ | ગાથા-૨૭-૨૮ સહન કરવો જોઈએ. “આ શરીર પુદ્ગલરૂપ છે, તેનો નાશ થઈ શકે, આત્માનો નાશ ક૨વો શક્ય નથી” આથી મારા કરાયેલા કર્મના ફળરૂપ આ પરિષહ પ્રાપ્ત થયો છે, માટે મારે સમ્યક્ સહન ક૨વો જોઈએ, એ પ્રકારનો અધ્યવસાય કરે તો તે સાધુને વધપરિષહનો જય છે. (૧૪) યાચનાપરિષહનો જય :- સાધુને ભિક્ષા, વસ્ત્ર, પાત્ર કે વસતિ આદિ બીજા પાસેથી પ્રાપ્ત કરવાની છે, અને બીજા પાસે યાચના કરતાં ક્ષોભ ન થાય, પરંતુ સંયમના અર્થે ઉપકારી એવી વસ્તુની યાચના કરે તો તે સાધુને યાચનાપરિષહનો જય થાય. (૧૫) અલાભપરિષહનો જય :- સાધુ સંયમનાં ઉપકારક એવાં ભિક્ષા, વસ્ત્ર, પાત્ર આદિ મેળવવા માટે યત્ન કરતા હોય અને ગૃહસ્થોના ઘરમાં ઘણી વસ્તુ હોવા છતાં પોતાને કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય નહિ તોપણ સમભાવના ચિત્તવાળા મુનિ કોઈ પ્રકારનો ખેદ કરે નહિ તો તે સાધુને અલાભપરિષહનો જય થાય. (૧૭) રોગપરિષહનો જય ઃ- સાધુને કોઈ રોગ પ્રગટ થાય ત્યારે ગચ્છથી નીકળેલા જિનકલ્પી આદિ ચિકિત્સા કરતા નથી અને ગચ્છવાસી સાધુ લાભાલાભનું આલોચન કરીને રોગને સહન કરવાની શક્તિ હોય તો રોગ સહન કરે પણ ચિકિત્સા ન કરાવે, અને જો રોગ સહન કરવાથી યોગમાર્ગની પ્રવૃત્તિ સિદાતી હોય તો શાસ્ત્રોક્ત વિધિથી ચિકિત્સા કરે તો તે સાધુને રોગપરિષહનો જય થાય. (૧૭) તૃણસ્પર્શપરિષહનો જય :- ગચ્છવાસી કે ગચ્છનિર્ગત=ગચ્છમાંથી નીકળેલા, સાધુને છિદ્ર વગરની તૃણની ચટાઈ આદિનો પરિભોગ અનુજ્ઞાત છે, અને રાત્રીના સૂતી વખતે સાધુ તે ચટાઈ આદિ ઉપર સંથારો અને ઉત્તરપટ્ટો આદિ કરીને સૂવે છે; તે ચોરો વડે હરણ કરાયેલો હોય, તેથી સંથારા વગર ચટાઈ ઉપર સૂવું પડે, અથવા તો સંથારો અને ઉત્તરપટ્ટો જીર્ણ હોય તેથી બહુ પાતળો હોય અને તેના કારણે ચટાઈ આદિના તૃણ સૂતી વખતે પ્રતિકૂળ લાગે તોપણ ચિત્તમાં ગ્લાનિ કર્યા વગર સહન કરે, તો તે સાધુએ તૃણસ્પર્શપરિષહનો જય કર્યો કહેવાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005541
Book TitleNavtattva Prakaran
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy