________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
ચારિત્રાચારે આઠ અતિચાર પણિહાણ જોગજુત્તો,પંચહિં સમિઈહિં તીહિં ગુનાહિં, એસ ચરિત્તાયારો, અઠવિહો હોઇ નાયબ્બો ||૧|| ઈર્યાસમિતિ તે અણજોએ હિંડ્યા. ભાષાસમિતિ તે સાવદ્ય વચન બોલ્યા. એષણાસમિતિ તે તૃણ, ડગલ, અન્ન, પાણી અસૂઝતું લીધું. આદાનભંડમત્તનિફખેવા સમિતિ તે આસન, શયન, ઉપકરણ, માતરું પ્રમુખ અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ મૂક્યું-લીધું. પારિષ્ઠાપનિકાસમિતિ તે મલ, મૂત્ર, શ્લેષ્માદિક અણપૂંજી જીવાકુલ ભૂમિકાએ પરઠવ્યું. મનોગુપ્તિ મનમાં આર્તરૌદ્ર ધ્યાન ધ્યાયાં. વચનગુપ્તિ સાવદ્ય વચન બોલ્યાં. કાયગુપ્તિ શરીર અણપડિલેહ્યું હલાવ્યું, અણપૂંજ બેઠા. એ અષ્ટ પ્રવચન માતા સાધુતણે ઘર્મે સદૈવ અને શ્રાવકતણે ધર્મે સામાયિક પોસહ લીધે રૂડી પેરે પાળી નહીં, ખંડણા વિરાધના હુઈ
ચારિત્રાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસ૦ ૩.
વિશેષતઃ શ્રાવકતણે ઘર્મે શ્રી સમ્યકત્વમૂલ બાર વ્રત સમ્યકત્વતણા પાંચ અતિચાર. સંકા કંખ વિગિચ્છા
શંકા :-શ્રી અરિહંતતણાં બલ, અતિશય, જ્ઞાનલક્ષ્મી, ગાંભીર્યાદિક ગુણ, શાશ્વતી પ્રતિમા, ચારિત્રીયાના ચારિત્ર, શ્રી જિનવચનતણો સંદેહ કીધો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org