________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
૮૨
દર્શનાચારે આઠ અતિચાર
નિસ્યંકિય નિકંખિય, નિવ્વિતિગિચ્છા અમૂઢટ્ઠિી અ; ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લપભાવણે અટ્ઠ. ||૧||
દેવ ગુરુ ધર્મ તણે વિષે નિઃશંકપણે ન કીધું તથા એકાંત નિશ્ચય ન કીધો. ધર્મ-સંબંધીયા ફળ તણે વિષે નિઃસંદેહ બુદ્ધિ ધરી નહીં. સાધુ-સાધ્વીનાં મલ-મલિન ગાત્ર દેખી દુર્ગચ્છા નિપજાવી, કુચારિત્રીયા દેખી ચારિત્રીયા ઉપર અભાવ હુઓ. મિથ્યાત્વીતણી પૂજા પ્રભાવના દેખી મૂઢદૃષ્ટિપણું કીધું. તથા સંઘમાંહે ગુણવંતતણી અનુપબૃહણા કીધી, અસ્થિરીકરણ, અવાત્સલ્ય, અપ્રીતિ, અભક્તિ નિપજાવી, અબહુમાન કીધું. તથા દેવદ્રવ્ય ગુરુદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય સાધારણદ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાશ્યાં, વિણસતાં ઉવેખ્યાં, છતી શક્તિએ સારસંભાળ ન કીધી. તથા સાધર્મિક સાથે ક્લહ કર્મબંધ કીધો.અધોતી અષ્ટપડ-મુખકોશ પાખે દેવપૂજા કીધી. બિંબ પ્રત્યે વાસકુંપી ધૂપધાણં કલશ તણો ઠબકો લાગ્યો. બિંબ હાથથકી પાડ્યું. ઊસાસ-નિઃસાસ લાગ્યો. દેહરે ઉપાશ્રયે મલશ્લેષ્માદિક લોહ્યું. દેહરામાંહે હાસ્ય, ખેલ, કેલિ, કુતૂહલ, આહાર, નિહાર કીધાં. પાન, સોપારી, 'નિવેદિઆં ખાધાં. ઢવણાયરિય હાથથકી પાડ્યા, પડિલેહવા વિસાર્યા. જિનભવને ચોરાશી આશાતના, ગુરુ-ગુરુણી પ્રત્યે તેત્રીસ આશાતના કીધી હોય, ગુરુવચન તત્તિ કરી પડિવજ્યું નહીં. દર્શનાચાર વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષદિવસ૦ ૨.
૧. નૈવેધ
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org