________________
પંચપ્રતિક્રમણ સૂત્ર
સત્તર તેંતાલીસ ડભોઈતીર્થે ચરમ ચોમાસુ આપ રહ્યા, વરસ પંચાવન નિર્મળ સંયમ પાળી યશથી અમર થયા; હેલા છેલા શિવપુર જાવા કર્યું આપે શું શુભપ્રસ્થાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૫ પ્રભુની આણા ગૌણ બનીને જ્ઞાનનો મારગ વિરલ બન્યો,
શાસન મારું હું શાસનનો' એવો અન્તર્નાદ ઘટ્યો; એવા ટાણે આપના ગ્રંથો ટાળે સંઘનું તિમિર તમામ, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૬ ભવવૈરાગી ગુરુગુણરાગી પૂર્ણભક્ત પ્રભુશાસનના, ગીતારથ સોભાગી સજ્જન પારંગત શ્રતસાગરના; કેવલી ભાષિત માર્ગના જ્ઞાતા સદા અમારી સાથે રહો, જગ જુગ જીવો જય જય પામો ઉપાધ્યાયજી અમર રહો. ૭
*
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org