SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પંચપ્રતિક્રમણ સૂત્ર ઉપાધ્યાયજી અમર રહો ! સ્તુતિ (મૈત્રીભાવનું પવિત્ર ઝરણું : એ રાગ) ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જિનવર શાસનના શણગાર, શૈર્ય ક્ષમા ને ગંભીરતાદિ અનેક ગુણગણના ભંડાર; જ્ઞાનયોગને સિદ્ધ કરીને ખૂબ બઢાવી શાસન-શાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૧ ધન્ય કનોડા ધન્ય સોભાગદે ધન્ય નારાયણ ધર્મશ્રા, ધન્ય સુહગુરુ શ્રી નવિજયજી ધન્ય ધન્ય એ ધનજી શૂરા; ધન્ય સિંહસૂરિજી જેણે હિતશિક્ષાનાં દીધાં દાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૨ ભર ચોમાસે મૂશળધાર વરસે પાણી દિવસ ને રાત, ભક્તામર ની શ્રવણપ્રતિજ્ઞા કારણ ત્રણ ઉપવાસી માત; સાત વરસના આપે ત્યારે સંભળાવ્યું એ સ્તોત્ર મહાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૩ કાશીતલ વહેતી ગંગાના કાંઠે નિશ્ચલ ધ્યાન ધરી, ભગવતી દેવી સરસ્વતીને રીઝવીને વરદાન વરી; ગુરુવર ચરણપસાવે હેજે લાવ્યું આતમ અનુભવ જ્ઞાન, વન્દન કરીએ ત્રિવિધે તમને દેજો અમને સાચું જ્ઞાન. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy