________________
પંચપ્રતિક્રમણ સૂત્રો
૪૨
૩૨. સાત લાખ
સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દશ લાખ પ્રત્યેક-વનસ્પતિકાય, ચૌદ લાખ સાધારણ-વનસ્પતિકાય, બે લાખ બેઇંદ્રિય, બેલાખ તેઇંદ્રિય, બે લાખ ચઉરિદ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય. એવંકારે ચોરાશી લાખ જીવયોનિમાંહિ મારે જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતાં પ્રત્યે અનુમોદ્યો હોય, તે સવિ મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડં.
આ સૂત્રમાં ચોરાશી લાખ યોનિથી ઉત્પન્ન થતા સર્વ સંસારી જીવમાંના જે જીવોની વિરાધના કરી હોય, તે બાબત મિચ્છા મિ દુક્કડ દેવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org