SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ ૬૧ વિવરણ : ઉક્ત પ્રક્રિયા એટલે બ્રહ્મ વિવર્તીપાદાન છે અને માયા પરિણામે પાદાન છે એમ માયા અને બ્રહ્મ બન્ને પ્રપચનાં ઉપાદાન છે. પાતાથી અભિન્ન કાય ને ઉત્પન્ન કરે તે ઉપાદાન; માટી પેતાથી અભિન્ન એવા ઘટને ઉત્પન્ન કરે છે, માયા પોતાથી અભિન્ન એવા જગત્પ્રપંચને ઉત્પન્ન કરે છે. રજ્જુ પાતાથી અભિન્ન એવા સ`ને ઉત્પન્ન કરે છે. આમ માયા અને બ્રહ્મ બન્ને પ્રપંચનાં ઉપાદાન છે. માત્ર પ્રપચ બ્રહ્મના વિવત છે, જ્યારે માયાને પરિણામ છે. અહીં શ ંકા થાય કે ધટ માટી છે', એની જેમ ‘ધટ બ્રહ્મ’ છે’ એવા અનુભવ થતા નથી અને ધટ અજ્ઞાન છે' એવા પણ અનુભવ થતા નથી તેા પ્રપંચને બ્રહ્મ અને અજ્ઞાનની સાથે અભેદ કેવી રીતે હોઈ શકે. તેને ઉત્તર છે કે આવા અનુભવ ન થતા હોય તે પણ સત્ત્વરૂપ અને જવરૂપ બ્રહ્મ અને માયા સાથે પ્રપંચના અભેદના અનુભવ તે થાય જ છે—સન ઘટ:, ન૩: વટ:'. બ્રહ્મ સરૂપ છે અને માયા જડ છે એ શ્રુતિથી સિદ્ધ છેસત્ર સૌચેમત્ર માસીસ્' (છા. ૬.૩.૧), ‘તતનનું મોદામમ્ '. ફરી શંકા થાય કે બ્રહ્મસૂત્રના અનન્યત્વાધિકરણના ભાષ્યમાં શંકરાચાર્ય અને તેના પરની ભામતીમાં વાથસ્પતિએ ચિપ બ્રહ્મ અને જડ પ્રપંચને અભેદ કેવી રીતે હાઈ શકે એ શકાના ઉત્તર આપતાં કર્યું છે કે સૂત્રમાં કાયતે કારણથી અનન્ય કહ્યું છે તેને અથ એટલે જ છે કે કારણની સત્તા સિવાય કાર્યની સત્તા હેાતી નથી અમે અનન્યત્વી અભેદ તેા નથી જ સમજતા; પણ ભેદના નિષેધ સમજીએ છીએ અને તેથી જ શ્રુતિમાં કહ્યુ છે કે કારણુ બ્રહ્મના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે એ ઉપપન્ન છે. કારણબ્રહ્મનુ સ્વરૂપભૂત સત્ત્વ એ જ કાય નુ વાસ્તવિક સ્વરૂપ છે તેથી તેનું જ્ઞાન થતાં સર્વાંનું તત્ત્વતઃ જ્ઞાન થઈ જાય છે. તે તે કા`પદાર્થના અસાધારણ રૂપના જ્ઞાનની કોઈ જરૂર નથી કારણ કે સવ પ્રપંચના તત્ત્વજ્ઞાન માત્રથી જ અદ્રિતીય બ્રહ્મનું જ્ઞાન મુક્તિના સાધન તરીકે પ્રાપ્ત થાય છે. શકરાચાર્ય અને વાચસ્પતિએ તેમનાં કથના દ્વારા વાસ્તવ અભેદને નિષેધ કર્યા છે એટલે વાસ્તવ ભેદ સિદ્ધ થાય છે અને છતાં કારણુ અને ાના અભેદ સ્વીકારીએ તે અપસિદ્ધાંતના—પોતાના સિદ્ધાંતમાં સ્વીકૃત નહીં તેવી હકીકતને સ્વીકાર કરી સિદ્ધાંત ખાટા ઠરાવ્યાના – આક્ષેપ આવે. એવી શંકાના ઉત્તર આપતાં કહ્યું છે કે જેને ભેદ છે એ ધમી અને જેનાથી ભેદ છે એ પ્રતિયેાગી અને વાસ્તવ કે સત્ય હાય તા તેમને ભેદ વાસ્તવ હોઈ શકે. (ધટના પટથી ભેદ—ત્યાં ઘટ ભેદને ધમી અને પટ પ્રતિયેાગી છે). અહીં બ્રહ્મ વાસ્તવ છે તે પણ પ્રપય તે! મિથ્યા છે એમ આર ભણુશ્રુતિ વગેરેથી સમજાય છે તેથી તેમના ભેદ વાસ્તવ હાઈ શકે નહિ. અને જેમ ‘આ રજત છે' એમાં રજત અને ‘આના ભ્રાન્તિસિદ્ધ અભેદ છે તેમ સનૢ ઘટ:' એમાં ટ અને સરૂપ બ્રહ્મને શ્રાન્તિસિદ્ઘ અભેદ માનવામાં આવે તે પણ સિદ્ધાંતના વિરોધ સાંભવતા નથી. વાવારમળ વિશ્વારો નામધેયં વૃત્તિòત્યેક સત્યમ્...એ શ્રુતિ બ્રહ્મરૂપ ઉપાદાન જ સત્ય છે, જગત્પ્રપંચ મિથ્યા છે એમ કહે છે. બારમવેટ્ સર્વમ્' નૈદ નાનાસ્તિ વિશ્વન' વગેરે શ્રુતિથી ભેદના નિષેધ કરવામાં આવ્યા છે તેથી કાય અને કારણનું અનન્યત્વ માનવું જોઈએ. ઉપરની ચર્ચામાં 'માયાં તુ ૠર્તિ વિદ્યાસ્’ શ્રુતિમાં માયાને જ પ્રકૃતિ (મૂલ કારણ) કહી છે તેા બ્રહ્મને ઉપાદાન કેવી રીતે માની શકાય એ શંકા ઉપસ્થિત થતાં સમાધાન કર્યુ છે કે માયા અને બ્રહ્મ બંને ઉપાદાન છે કારણ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy