SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धान्तलेशसङ्ग्रहः (સંક્ષેપશારીરકને અનુસરનારાઓને મત) : વેદાન્તવાક્યોનું અદ્વિતીય બ્રાને વિષે તાત્પર્ય છે એવા નિર્ણયને અનુકૂળ ન્યાયવિચારાત્મક ચિત્તવૃત્તિ વિશેષ તે શ્રવણ; બ્રહ્મને વિષે પરોક્ષ કે અપક્ષ જ્ઞાન તેનું (શ્રવણનું) ફળ નથી, કારણ કે તે (જ્ઞાન) શબ્દાદિ પ્રમાણનું ફલ છે. એવી દલીલ કરવી નહિ કે શ્રવણ ભલે કહ્યા પ્રમાણેના વિચારથી નિશ્ચિત કરેલા તાત્પર્ય થી વિશિષ્ટ શાબ્દ જ્ઞાન જ છે, તેનું બ્રહ્મજ્ઞાન ફલ હોય એ યુક્ત છે(આ દલીલ બરાબર નથી), કારણ કે જ્ઞાનમાં વિધિની ઉપપત્તિ નથી; અને વિચાર કરવો જોઈએ એવું વિધાન કરનાર જિજ્ઞાસા સૂત્રના મૂલ તરીકે શ્રવણવિધિને રવીકાર કરવામાં આવ્યો છે, તેથી ઊહાપહામક માનસક્રિયારૂપ વિચાર જ શ્રવણ હોય એ ઉચિત છે. • ' અને એવી દલીલ કરવી નહિ કે તાત્પર્યના નિર્ણય દ્વારા અથવા તાત્પર્ય વિષેના ભ્રમ વગેરે પુરુષા પરાધરૂપ પ્રતિબંધકે છે તેને તેનાથી (તાપર્યનિર્ણયથી) નિરાસ થાય છે તે દ્વારા વિચારનું પણ ફળ બ્રહ્મજ્ઞાન ભલે હોય. (આ દલીલ બરાબર નથી, કારણ કે તાત્પર્ય જ્ઞાનને શાબ્દજ્ઞાનને વિષે કારણ તરીકે સ્વીકારવામાં નથી આવતું, અને કાર્યની બાબતમાં કયાંય પ્રતિબંધકના અભાવને કારણ તરીકે સ્વીકાર નથી. તેથી તે બેના દ્વારપણાની ઉપપત્તિ નથી. બ્રહ્મજ્ઞાન (શબ્દ પ્રમાણથી) અતિરિક્ત વિચારરૂપ કારણથી ઉત્પન્ન થઈ શકે એમ હોય તો તેના પ્રામાણ્યના પરતત્વની આત્તિ થાય તેથી (શ્રવણનું તાત્પર્યાના નિર્ણય દ્વારા પુરુષાપરાધના નિરાસરૂપ પ્રજન છે માટે જ વિચારરૂ૫ શ્રવણની બાબતમાં નિયમવિધિ છે. “દ્રષ્ટચ” એમ કહીને), દશનાઈ દશનાગ્ય) છે એ તરીકે માત્ર ; સ્તુતિ કરી છે, શ્રવણના ફલનું કથન નથી—એમ સંક્ષેપશારીરકને અનુસરનાર (ચિંતકો) કહે છે. - વિવરણઃ પ્રમેયની અસંભાવનાની નિવૃત્તિને અનુકૂલ ન્યાયવિચારાત્મક મનનને આ - લક્ષણ લાગુ ન પડે અને અતિવ્યાપ્તિ દોષ ન થાય તે માટે “તાત્પયના નિર્ણયને અનુકૂલ' એમ કહ્યું છે. તાત્પર્યાના નિર્ણયને અનુકૂલ ન્યાયે તે ઉપક્રમ અને ઉપસંહારનું ઐકય વગેરે છે એમ જાણવું. ચિત્તવૃત્તિવિશેષથી યુનસાધ્ય ક્રિયારૂપ વૃત્તિ વિવક્ષિત છે; યત્નથી સાય નહી એવી જ્ઞાનરૂપ વૃત્તિ વિવક્ષિત નથી, કારણ કે જ્ઞાન અંગે કોઈ વિધિ હોઈ શકે નહિ. તાત્પર્યને નિર્ણય કરનાર ન્યાયે તે ઉપક્રમ–ઉપસ હાર, અભ્યાસ, અપૂવતા, ફૂલ, અર્થવાદ, ઉપપતિ. છાંદોગ્યોપનિષદુના છઠ્ઠા અધ્યાયમાં લવ સોન્ગ એમ અદ્વિતીય બ્રહ્મ વિષેના કથનથી ઉપક્રમ (આરંભ) કર્યો છે, અને “તારક મ” એમ ઉપસંહાર કર્યો છે તેથી ત્યાંના સકલ સંદભ અદ્વિતીય બ્રહ્મપરક છે એવો નિર્ણય થઈ શકે છે. આ ઉપ સંહાર૩૫ તાત્પર્ય લિંગ છે. “તત્વમણિ' ઇત્યાદિને નવ વાર અભ્યાસ (આરતન) છે તેથી અદ્વિતીય તત્ત્વપૂરક તાત્પર્ય છે એમ સમજાય છે. “યં વૈ ણોતમગિમા 7 નિમાય' (છા ઉ૫. ૬.૧૨.૨) (હે વત્સ, જે આ સૂક્ષ્મતમ તત્વને તું જેતે નથી ..) ઇત્યાદિમાં કહ્યું છે કે અદિતીય બ્રહ્મ બીજ કઈ પ્રમાણુથી જાણી શકાય તેવું નથી–આ અપૂર્વવરૂપ લિંગથી અદિતીય બ્રહ્મપરક તાત્પર્ય છે એમ સમજાય છે. તહ્ય તાવ વિર ચાર વિમો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy