SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ૪૮ ૭ અર્થને બાધ થતું નથી એટલા કારણસર જ તેને પ્રેમ કહી શકાય નહિ કારણ કે જ્ઞાનનાં માનેલાં કારણોથી જે ઉત્પન્ન થયેલુ ન હોય તે જ્ઞાન જ ન હોઈ શકે, તે તેના પ્રભાવની વાત જ ક્યાં કરવાની રહે? અવિસંવાદી એવી જે કેડીની સંખ્યાવિષયક આહાર્ય વૃત્તિ તે ૫ણું પ્રમાણ નથી. ઉપાસનાની જેમ એ જ્ઞાન નથી, પણ માનસ ક્યિા છે. તે અબાધિત અવિષયક હોય તેનાથી તે પ્રમા ન બની શકે. જેમ ઈરછા અબાધિત અથવિષયક હોય તો પણ એ પ્રમા નથી. કોડીની સંખ્યા વિષયક આહાય વૃત્તિ જ્ઞાન નથી. અબાધિત અર્થ જ્ઞાન પ્રમા છે, અબાધિત અર્થવાળી બીજી કોઈ વસ્તુ (જેમ કે ઈચ્છા, આહાર્યવૃત્તિ) પ્રમા ન હોઈ શકે. આ શંકાને ઉતર આપતાં કહ્યું છે કે માનેલાં પ્રમાણથી જન્ય ન હોવા છતાં ઈશ્વરની માયાવૃતિની જેમ સાક્ષાત્કારને પ્રમા કહી શકાય. જે ઈશ્વરની માયાવૃત્તિને જ્ઞાન ન માનીએ તે “યઃ સર્વજ્ઞ સહિત (મુક ૧૧.૯, ૨.૨.૭) ઈત્યાદિ શ્રુતિઓમ શા (જાણવું) એ ધાતુ ન હો જોઈએ. ઈચ્છાથી ભિન્ન હોઈને તે અબાધિતાથવિષયક છે માટે ઈશ્વરની માયાવૃત્તિની જેમ બ્રહ્મસાક્ષાત્કારને પ્રમા માની શકાય. વળી પ્રસંખ્યાનજન્ય બ્રહ્મસાક્ષાત્કાર પ્રમાણુમુલક નથી એમ નથી. યોગમાર્ગમાં જેને વિયાર, જેનું શ્રવણ નથી કરેલ એવા વેદાંતવાકયથી જન્ય જીવ અને બ્રહ્મના એકત્વના જ્ઞાનના અભ્યાસરૂપ પ્રસંખ્યાનથી બ્રહ્મસાક્ષાત્કાર થાય છે. જ્યારે સાંખ્યમાણમાં જેને વિચાર કે શ્રવણ કરેલ છે એવા વેદાંત. વાયના જ્ઞાનથી થતા નિદિધ્યાસનરૂપ પ્રસંખ્યાનથી બ્રહ્મસાક્ષાત્કાર થાય છે તેથી બને માગમાં બહ્મસાક્ષાત્કાર પ્રમાણમૂલક જ છે. પ્રશ્ન થાય કે વેદાન્તવાકયથી જ બ્રહ્મજ્ઞાન થતું હેય તે પ્રસ ખ્યાનની શી જરૂર છે તેનું સમાધાન એ છે કે પ્રસંખ્યાનની પહેલાં અવિદ્યાને નાશ કરી શકે તેવું અપ્રતિબદ્ધ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી તેથી આવા જ્ઞાનને માટે તેની આવશ્યક્તા છે. ક૫ ફની પણ આ બાબતમાં સંમતિ છે બ્રહ્મસાક્ષાત્કાર પ્રમાણુજન્ય ન હોવા છતાં પ્રમાણ-પ્રયાજી છે તેથી જ પ્રમા છે. કલ્પકાર અમલાનને કહ્યું છે કે બ્રહ્મસાક્ષાત્કાર કે બ્રહ્મનું અપરોક્ષજ્ઞાન વેદાંતવાકયથી ઉત્પન્ન થતા જ્ઞાનની ભાવના કે જ્ઞાનાભ્યાસહ૫ પ્રસંખ્યાનથી ઉત્પન્ન થાય છે અને મૂળ પ્રમાણ (-વેદાન્તવાક્ય કે તેનાથી ઉત્પન્ન થતી પ્રમા-)ને દઢતા (—અર્થાત અવિકતિપન પ્રામાણ્યવાળા હેવું તે)ને કારણે આ જમરૂપ નથી. હવે એવી શંકા થાય કે પ્રસ ઇવાનજન્ય સાક્ષાત્કારમાં રહેલા પ્રામાયને જાણવા માટે જે મૂળ પ્રમાણને જાણવાની જરૂર રહેતી હોય તે તેનું પરતઃપ્રામાણ્ય માનવું પડશે જે વેદાંતસિદ્ધાન્તથી વિરુદ્ધ છે (–અપસિદ્ધાન્તને દોષ થાય). આનું સમાધાન એ છે કે પ્રસ ખ્યાનથી જન્ય સાક્ષાત્કારમાં રહેલું પ્રામાણ્ય પણ નિવમથી પોતાના આશ્રય (સ ક્ષાત્કાર)ના ગ્રાહક સાક્ષીથી જ ભાસ્ય છે ( સાક્ષાત્કારના ભાન સાથે જ તેના પ્રામાયનું પણ ભાન થાય છે, તેથી તેના પ્રામાણ્યના જ્ઞાનને માટે મૂળ પ્રમાણને અનુસરવાનું નથી, પણ શક્ય છે કે પ્રસંખ્યાનથી જન્ય એવા વ્યવહિત કામિનીના સાક્ષાત્કારનું પ્રમાત્વ જોઈને કદાચિત કેઈ ને શંકા થાય કે પ્રસંખ્યાનથી જન્ય બ્રહ્મસાક્ષાત્કારમાં પણુ અપ્રામાણ્ય છે, માટે તે શંકાના નિરાસને માટે મૂળ પ્રમાણને અનુરોધ કર્યો છે તેથી અપસિદ્ધાન્તને દેષ નથી. આમ પ્રસંખ્યાન બહ્મસાક્ષાત્કાર કરે છે એમ કેટલાક માને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy