SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ فف તૃતીય પરિચ્છેદ અને એવી શંકા કરવી ન જોઈએ કે નિણની ઉપાસના જ નથી. (આ શંકા બરાબર નથી, કારણ કે પ્રોપનિષદ્દમાં શૈખ્ય-પ્રશ્નમાં જે વળી આ પરમ પુરુષનું ધ્યાન ત્રણ માત્રાવાળા કારથી કરે” (પ્રશ્ન ૫.૫) એમ નિ ગુણની જ ઉપાસનાનું પ્રતિપાદન છે. તે પછી ‘ત આ જીવઘન પરથી પર એવા પુરમાં સૂતેલા (હૃદય આકાશમાં બુદ્ધિના સાક્ષી તરીકે રહેલા) (નિરુપધિક) પુરુષને જુએ છે (તેને સાક્ષાત્કાર કરે છે) એ ઉપાસનાના ફલવિષયક વાક્યમાં " a” ક્રિયાના કમ તરીકે જે નિર્ગુણ બ્રહ્મને નિર્દેશ છે તે જ ઉપાસના-વાકયમાં સ્થાતિ ક્રિયાનું કામ છે, અન્ય નહિ, કારણ કે ઈક્ષણ અને ધ્યાન જે કાર્ય અને કારણ રૂપ છે તેમનો વિષય એક હેય છે એ નિયમ છે”-એમ આ અર્થ ક્ષત્તિયાળ (બ.સુ. ૧.૩.૧૩)માં ભાષ્યકાર આદિએ સ્વીકાર્યો છે. અન્યત્ર પણ તાપનીય, કઠલ્લા આદિ અન્ય કૃતિઓમાં નિગુણે પાસનાનું પ્રતિપાદન કર્યું છે અને સૂત્રકારે પણ ઉપાસ્યના ગુણના નિર્ણય માટે આરંભ કરેલા ગુણો પસંહાર પાદમાં નિર્ગુણ બ્રહ્મમાં પણ આનંદ આદિ પ્રધાનભૂત (બ્રા)નાં છે (બ્ર. સ. ૩.૩.૧૧) એ સૂત્રથી ભાવરૂપ જ્ઞાન આનંદ આદિ ગુણને અને “અક્ષર બ્રહ્મના જ્ઞાનાને (જેનાથી અક્ષરબ્રહ્મજ્ઞાન થાય તેવા અભાવાત્મક ધર્મોને) તે ઉપસંહાર થાય છે? (બ્ર. સ. ૩ ૩.૩૩) એ સૂત્રથી અમાવરૂપ અદ્ભૂલત્વ આદિ ગુણેને ઉપસ હાર દર્શાવ્યું છે. વિવરણઃ વ્યાખ્યાકાર કુણાનંદ કહે છે કે આ રીતે ઉત્તમ અને મધ્યમ પ્રકારના અધિકારીઓ માટે સાંખ્યમાર્ગનું નિરૂપણ કરીને હવે અપવ્યદીક્ષિત એ સાંખ્યમાર્ગને માટે ક્ષમતાવાળા નહીં એવા અત્યંત મંદ અધિકારીઓ માટે યોગમાર્ગનું નિરૂપણ શરૂ કરે છે. શ્રવણને મનન આદિ સાધનને સહકાર મળતાં તેના અનુષ્ઠાનથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં સર્વ કૃતિ-રમતિની સંમતિ છે પણ ભારતીતી પંચદશીના નવમાં પ્રકરણ ધ્યાનદાપમાં એ બતાવ્યું છે કે જેમ સાંખ્ય અર્થાત વેદાંત-વિચાર અથાત્ મનન આદિથી સહકૃત શ્રવણ વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે, તેમ નિણબહ્મની ઉપાસના– – પણ વિદ્યાની પ્રાપ્તિને ઉપાય છે. તેને માટે શ્રુતિ સ્મૃતિનું પ્રમાણ પણું મળી રહે છે. શ્રુતિ કહે છે કે તે કારણ તરીકે ઉપલક્ષિત બ્રહ્મ સાંખ્યયોગથી વિદ્યા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. ભ.ગીતા (૫૫) પણ કહે છે કે જે બ્રહ્મસ્વરૂપ સ્થાન સાંખ્યને અર્થાત્ સાંખ્ય કે વેદાંતવિચારથી યુક્ત માણસોને મળે છે તે સ્થાન યોગને અર્થાત્ યોગ કે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરનારાઓને પણ વિદ્યા દ્વારા પ્રાપ્ત થાય છે. વ્યાખ્યાકાર કૃષ્ણાનંદ કહે છે કે “યોગોને પણ એમ “પણું' શબ્દને પ્રગ છે તેથી યોગ બાગ અનુકલ્પ છે એમ સમજાય છે. निर्गुणब्रह्मतत्वस्य न पास्तेरसम्भवः । ગુજaoળીવાત્ર પ્રયાસક્રમવા . (ધ્યાનદીપ, ૫૫) જેમ સગુણ બ્રહ્મમાં તેમ નિર્ગુણાહ્મમાં પ્રત્યય (જ્ઞાન)ની આવૃત્તિ (ધ્યાન, તવાળ્યાસ) સંભવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy