SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ વણુધર્મ સુધી વિસ્તારી શકાય નહિ. આવી શંકા બરાબર નથી. - રંકવ આદિ વિદ્યાવાળાં હતાં તેનું કારણ એ છે કે અન્ય જન્મમાં વિદ્યાનાં સાધનોનું અનુષ્ઠાન તેમણે કરેલું તેના બળે જ તેમને વિદ્યા પ્રાપ્ત થઈ માટે રિકવાદિ વિદ્યાવાળાં હતાં એવું જે લિંગ (હેતુ) રજૂ કરવામાં આવ્યું તે અનન્યથાસિદ્ધ (સાધ્ય સિવાય બીજી કોઈ રીતે સિદ્ધ ન હોઈ શકે તેવું) લિગ નથી. માટે અન્ય હેતુ રજૂ કરવાના આશયથી બ્રહ્મસૂત્રકારે વિરોષાનુ એમ કહ્યું છે. જપાદિ ધર્મ વિશેષ જે બ્રાહ્મણત્વાદિ વર્ણમાત્ર સાથે સંબંધિત છે તેમનાથી પણુ આશ્રમધર્મની જેમ ચિત્તશુદ્ધિ-વિવિદિષા દ્વારા વિદ્યામાં ઉપકાર સ ભવે છે. કહ્યું છે કે જપથા જ બ્રાહ્મણ સિદ્ધિ મેળવે છે, તેમાં કઈ સંશય નથી. ગ ગામાં સ્નાન માત્રથી તે મુક્ત થાય છે તેમાં કાઈ સ શય નથી. 'जपेनैव तु संसिध्येत् ब्राह्मणो नात्र संशयः ।' 'गङ्गायाँ स्नानमात्रेण मुच्यते नात्र संशयः।' બીજી પંક્તિ એવી પણ છે– સુ ચન વા કુર્તા મિત્રો ત્રાહ્મળ ઉ –બીજું કરે, કે ન કરે, દયાભાવવાળ બ્રાહ્મણ કહેવાય છે. જપ, તીર્થસ્નાન, દેવતા ધ્યાન વગેરે ધર્મો શુદ્ધિ આદિ દ્વારા વિદ્યા આદિનાં સાધન બની શકે છે એવું પ્રતિ દિન છે એ સુત્રને અર્થ છે. તેથી સત્રના “આશ્રમકમ” શબ્દને વણુ ધમરના ઉપલક્ષણ તરીકે લઈ શકાય. શંકા થાય કે યજ્ઞાદિને વિનિયોગ માને છે તે કામ્ય અને નિત્ય બને પ્રકારનાં કર્મોને સાધારણ વિનિયોગ છે કે નિત્ય કર્મને જ છે? પહેલે પક્ષ બરાબર નથી કારણકે કામ્ય કર્મનાં સ્વગદિ ફળ છે તેની વિદ્યાને જરૂર નથી તેથી કામ્ય કમ વિદ્યામાં ઉપકારક હોઈ શકે નહિ. બીજો પક્ષ પણ ગ્રાહા નથી કારણ કે નિત્ય કમનું ફળ પાપક્ષય છે અને પ્રમાણસાધ્ય વિદ્યાને આ પાપક્ષયની અપેક્ષા છે એમ માનવા માટે કઈ પ્રમાણુ નથી. તેથી તેમને પણ વિદ્યામાં વિનિયોગ ઉપપન્ન નથી આ શંકાનું સમાધાન કરતાં કહપતરુ (જુઓ પૃ. ૬૨ ૬૩ માં કહ્યું છે કે નિત્ય કમેને વિદ્યામાં વિનિયોગ છે. જ્ઞાનકુપતે પુરાં યાહૂ વાપરચ ક્રમ – પાપકર્મના નાશથી માણસને જ્ઞાન ઉત્પન્ન થાય છે. આમ નિત્યકર્મના ફળ એવા પાપક્ષયની વિઘાને અપેક્ષા છે. વિદ્યા પ્રમાણુજન્ય છે એ વાત સાચી, છતાં પાપ પ્રતિ બંધક બની શકે તેથી પાપનાશની અપેક્ષા હોય એ યુક્ત છે. પણ કામ્ય કર્મ ઉપકારક નથી. તેમનું નિત્ય કમની જેમ પાપનાશ ફળ હોઈ શકે નહિ કારણકે તેમ માનવા માટે પ્રમાણ નથી. અને વિદ્યામાં ના વિનિયોગ અંગે જે વિધિ છે તે એ ઉપકાર જેને માન્યો છે તે નિત્યકર્મથી જ ચરિતાર્થ થઈ જાય છે પૂર્વમીમાંસામાં દશપૂર્ણ માસને પ્રકૃતિયાગ માન્યો છે કારણ કે તેનાં અંગોને અતિદેશ વિકૃતિભૂત સૌય પશુયાગમાં કરવામાં આવ્યો છે. પણ અંગને પ્રકૃતિયાગમાં જે ઉપકાર હોય તે સિવાય કોઈ ઉપકાર વિકૃતિયાગમાં માની શકાય નહિ. તેની જેમ નિત્યકર્મોના વિદ્યોપકારકત્વને અતિદેશ જે કામ્ય કમ માં કરવામાં આવે તે તેમને ઉપકાર પાપક્ષયરૂપ જ હોઈ શકે પણ તેમ માનવામાં ગૌરવ છે કારણ કે નિત્ય કર્મથી એ સિદ્ધ થાય જ છે. જ્યારે કામ્ય કર્મનું તે સ્વર્ગાદિ અસાધારણ ફળ માન્યું છે. તેથી નિત્ય કમીને જ વિદ્યામાં વિનિયોગ માન જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy