SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પરિચ્છેદ ૪૩૧ કુશ થઈ ગયો હોય તેને એ કૃશતા દૂર કરવા માટે અન્ન વિષે ઉન્મુખતા પ્રકારની ઇચ્છા તે હેય છે; પણ ઉત્કટ અઈણ કે અનશન એવા કોઈ કારણથી ઉદ્દભવેલા ધાતુવેષને લીધે અભક્ષણની પ્રવૃત્તિ સુધીની રુચિરૂપ ઇચ્છા તેને થતો નથી તેથી એ રુચિ ઉત્પન્ન કરે તેવાં ઔષધોનું વિધાન કરવામાં આવે છે. તેવી જ રીતે જેણે અંગે સહિત વેદનું અદયયન કર્યું છે તેવા માણસને, ઉપનિષદોમાંથી બ્રહ્મ નિરતિશય આનન્દરૂપ છે અને વિદ્યા તેની પ્રાપ્તિનું સાધન છે એમ જાણીને, એ બાબતમાં વિશ્વાસ પ્રાપ્ત થાય છે. અલબત્ત ઘણાને આટલું કર્યા પછી પણ વિશ્વાસ બેસતું નથી તેથી વિશ્વાસ બેસતો હોય તે તેમાં અનેક જન્મમાં જે નિષ્કામ નિત્ય-નૈમિત્તિક કમ કર્યો હોય અને તેનાથી જે ચિત્તની પ્રસન્નતા રૂપ શુદ્ધિ શકય થઈ હોય તેને મહિમા કારણભૂત છે જ. સ્મૃતિ પણ કહે છે કે હજારો માણસામાં કઈક જ વિદ્યાની સિદ્ધિ કે લાભ માટે પ્રયત્ન કરે છે (મનુષ્યાનાં રહેવું શિ ચતતિ વિશે–મ.ગીતા ૭.૨). * શંકા થાય કે બ્રહ્મપ્રાપ્તિની સાધનભૂત વિદ્યાને વિષે ઉત્કટ ઇચ્છા હોય તે તેનાં સાધને શ્રવણદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીની રુચિ થાય જ તેથી યજ્ઞાદિનું અનુષ્ઠાન જરૂરી નથી. આ શંકાનો ઉત્તર આપ્યો છે કે અનેક જન્મમાં સંચિત પાપ વિષયભોગ તર આવા માણસને વાળે છે અને તેથી આવી પ્રવૃત્તિ પયતની રુચિરૂ૫ વિવિદિષામાં રકાવટ કરે છે તેથી યજ્ઞાદિની જરૂર છે. ફરી શંકા થાય કે પૂર્વોક્ત ચિત્તપ્રસન્નતાના મહિમાથી બ્રહ્મવિદ્યામાં વિશ્વાસ બેઠા હોય એટલા આસ્તિક માણસનું અનર્થ પ્રચુર વિષયોગ પ્રત્યે વલણ કેવી રીતે સંભવે. આને ઉત્તર અનુભવસિદ્ધ દષ્ટાન્ત રજૂ કરીને આખા છે. જે શાસ્ત્રવિહિત છે તેના અનુષ્ઠાનથી શ્રેય થાય છે અને શાસ્ત્રથી નિષિદ્ધ એવું કરવાથી મહાન અનર્થ થાય છે એમ શાસ્ત્રના આધારે જાણી શકાય છે એવો નિશ્ચય કોઈ આસ્તિકને થયું હોય તે છતાં તેને કામક, નિંદિત મૈથુન આદિ હેય કમેન વિષે વલણ પાપવિશેષને કારણે સંભવે છે. તેમ આ મુમુક્ષની બાબતમાં વિષયભોગ તરફ તેવું જ વલણ અનેક જન્મમાં એકઠા થયેલા પાપરૂપી દેષના પ્રતિબંધને કારણે સંભવે છે. તેથી શ્રવણદિમાં પ્રવૃત્તિ સુધીની રુચિરૂપ વિવિદિષાનું સંપાદન કરવા માટે યજ્ઞાદિનું વિધાન જરૂરી છે. જુઓ भा मती, पृ. ५१-६१-अस्याः -विविदिषन्ति र शेन' इति तृतीशश्रुत्या यज्ञादीनामङ्गत्वेन ब्रह्मज्ञाने विनियोगात्... नित्यस्वाध्यायेन ब्राह्मणा विविदिषन्ति न तु विदन्ति, वस्तुतः प्रधानस्यापि वेदनस्य प्रकृत्यतया शब्दतो गुणत्वात् , इच्छायाश्च प्रत्ययार्थातया प्राधान्यात, प्रधानेन च कार्यसम्प्रत्ययात् । (શંકા અને ઉત્તર બન્નેની ચર્ચા છે). विवरणानुसारिणस्त्वाहुः -'प्रकृतिप्रत्ययार्थयोः प्रत्ययार्थस्य प्राधान्यम्' इति सामान्यन्यायाद् 'इच्छाविषयतया शब्दबोध्ये एव शाब्दसाधनतान्वयः' इति स्वर्गकामादिवाक्ये क्लुप्तविशेषन्यायस्य बलवस्चात् 'अश्वेन जिगमिषति' 'असिना जिघांसति' इत्यादिलौकिकप्रयोगे अश्वादिरूपसाधनस्य, 'तदन्वेष्टव्यं तद्वाव विजिज्ञासितव्यम्', 'मन्तव्यो निदिध्यासितव्यः' (बृहद्. २.४.५) इत्यादिवैदिकप्रयोगे Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy