SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિચછેદ ૩ર૩ મહત્ત્વ અને ઉદભૂતરૂપ જેમ એ દ્રવ્યના ચાક્ષુષ જ્ઞાનમાં હેતુભૂત છે તેમ તેમના આશ્રયભૂત એ દ્રવ્યરૂપ બિંબને કારણે થતા પ્રતિબિંબાપ્યાસની ઉત્પત્તિમાં પણ એ હેતુભૂત છે, તેથી ગોરવદેષ છે. વળી બિંબપ્રતિબિબાભેદ પક્ષમાં નયનરશ્મિ પાછાં ફરીને બિંબ સાથે સંબંધમાં આવે છે એમ માનવામાં આવે છે તેથી પ્રતિબિંબસ્થળમાં પણ બિંદસંનિક જ હેતુ છે તેથી ઘટાદિ ચાક્ષુષ જ્ઞાનની જેમ પ્રતિબિંબ ચાક્ષુષમાં પણ દિવાલ વગેરે સ નિકર્ષના વિઘટન દ્વારા જ પ્રતિબંધક બને છે, અન્યત્ર કયાંય નહીં સંભવતું એવું તેમનું સીધું (સાક્ષા) પ્રતિબંધકત્વ કલ્પવાની જરૂર પડતી નથી, એ લાધવગુણ છે. જ્યારે પ્રતિબિંબાધ્યાસમાં બિ બસંનિકને હેતુ માનવામાં નથી આવતું તેથી દીવાલ વગેરેનું જે સંનિક. વિઘટકત્વ માનેલું છે તે પ્રતિબિંબસ્થળમાં છે એમ કહી શકાતું નથી, તેથી પ્રતિબિંબોધ્યાસની પ્રતિ દીવાલ વગેરે સાક્ષાત્ (-અર્થાત સંન્નિક વિઘટન દ્વારા નહીં-) પ્રતિબંધક છે એમ વ્યવહિત વસ્તુનું પ્રતિબિંબ નથી પડતું એ ધ્યાનમાં રાખીને કલ્પવું પડે છે એ ગૌરવ છે. દીવાલ વગેરે સાક્ષાત પ્રતિબંધક બની શક્તાં હોય તે ઘટપ્રત્યક્ષ વગેરેમાં પણ એ સાક્ષાત પ્રતિબંધક બની શકે અને એમ હોય તો કેઈ ચક્ષુસજ્ઞિકર્ષ પ્રત્યક્ષ જ્ઞાનનું કારણ બની શકે નહિ. વળી પ્રતિબિંબાણાસવાદીને પણ ચાક્ષુષપ્રતિબિંબભ્રમ સ્થળે બિંબસન્નિકર્ષ માનવો જ પડે છે કારણ કે તે વિના જમનાં ત્રણ કારણોમાંનું જે એક કારણ સંસ્કાર છે તેની ઉપપત્તિ નથી. પિતાના મુખને પિતાની આંખ સાથે સન્નિકઈ ન માનવામાં આવે તે દર્પણદિમાં આરોગ્ય પ્રતિમુખના સજાતીય એવા પિતાના મુખને સાક્ષાત્કાર કયારેય જન્મ નહિ અને તે પછી અધ્યાસનું કારણભૂત અને પૂર્વાનુભવથી જન્ય એવો સંસ્કાર પ્રાપ્ત ન થતાં પ્રતિબિંબરૂપ અધ્યાસની ઉત્પત્તિ ન થાય. માટે પિતાના મુખને પિતાની આંખ સાથે સન્નિકર્ષ થાય તે માટે માનવું જ પડશે કે દર્પણદિ ઉપાધિથી પ્રતિહત નયનરશિમ પાછાં ફરીને સ્વમુખરૂપ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણું કરે છે. કદાચ સ્વમુખને પૂર્વાનભવ હોય તે પણ એ નાસિકા આદિ પ્રદેશ પૂરતું સીમિત હોય અને એવું હોય તે સંસ્કારના અભાવમાં નયનગેલકાદિને પ્રતિબિંબાણાસ શકય ન જ બને. માટે પ્રતિહત થયેલાં નયનરશિમની પરાવૃત્તિ અને બિંબસંનિષ માનવો જ જોઈએ. કયારેક તે બિલકુલ પૂર્વાનુભવ નથી હોતું. તળાવના કિનારા પરના વૃક્ષ પર કે ક્યારેય નહીં જોયેલે માણસ ચઢીને બેઠા હોય તેને પ્રતિબિંબોધ્યાસસ્થળે પૂર્વાનુભવની જરા પણ શકયતા નથી, - જે ઉપયુક્ત નિયમ સ્વીકારવાને જ હોય તે અનુભવને આધારે એમ પણ સ્વીકારવું જોઈએ કે દર્પણદિથી પ્રતિહત થયેલાં જ નયનરરિમ બિંબને પ્રાપ્ત કરીને તેનું રહણ કરે છે; શિલા આદિથી પ્રતિત થયેલાં નયનરરિમ નથી કરતાં, અને બહુ સ્વચ્છ નહિ એવા તામ્રાદિથી પ્રતિહત નયનરસિમ મુખાદિનું સકલતાથી ગ્રહણ કરતાં નથી. આમ ફળ અનુસાર પદાર્થનો સ્વભાવ માનવામાં આવે તે બીજ પણ દોષોને નિરાસ થાય છે. સૂર્ય ને સીધો જેવા પ્રયત્ન કરીએ તે સમયના તેજથી નયનરશ્મિ પ્રતિહત થાય છે અને સૂર્યનું ગ્રહણ કરી શકાતું નથી. જ્યારે જલ આદિ ઉપાધિને પ્રાપ્ત કરીને પાછાં ફરેલાં નયનરસિમ સૂર્યના તેજથી પ્રતિહત થતાં નથી તેથી સૂર્યને જોઈ શકે છે. શંકા થાય કે ઉપાધિભૂત જલથી પ્રતિહત થયેલાં નયનરશ્મિ બિદેશને પ્રાપ્ત કરે છે એમ જે માનવામાં આવે છે તે સૂર્યાદિનું પ્રતિબિબ ભલે દેખાય પણ જળની અંદર રેતી વગેરે દેખાય છે તે દેખાવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy