SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ૩રર सिद्धान्तलेशसङ्ग्रहः અને જે દર્પણમાં મિયામુપાધ્યાસ માને છે તેણે પણ ત્રણ કારણે (ષ, સંપ્રયોગ અને સંસ્કાર)માં અન્તર્ગત સંસ્કારની સિદ્ધિને માટે નયનરમિઓ ક્યારેક પાછાં ફરીને પિતાના મુખનું ગ્રહણ કરે છે એવી કલ્પના કરીને પૂર્વાનુભવનું સમર્થન કરવું પડવાનું છે. (આ કારણોને લઈને ઉપયુક્ત દલીલ બરાબર નથી, અને નાસિકા આદિ પ્રદેશથી અવત્રિ પૂર્વ અનુભવથી જ સંસ્કારની ઉત્પત્તિ છે એવું નથી, કારણ કે તેટલાથી નયનગાલક આદિને પ્રતિબિંબાણાસ ઉપપન્ન થતું નથી. અને તળાવના પાણીમાં કિનારા પરના વૃક્ષ પર ચઢેલા એવા ક્યારેય નજરે અહીં ચઢેલા માણસનો પ્રતિબિંબધ્યિાસ થાય છે ત્યાં પૂર્વાનુભવની વાત કરવી કઈ પણ રીતે મુશ્કેલ છે. અને આમ ઉપાધિથી પ્રતિહત નયનરસિમ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણ કરે છે એમ અવશ્ય કહેવું પડવાનું છે ત્યારે ફળના બળે કહેવું પડશે કે દર્પણદિથી ધકેલાયેલાં (નયનરશિમ) જ બિંબને પ્રાપ્ત કરીને તેનું ગ્રહણ કરે છે, શિલા આદિથી પાછાં ધકેલાયેલાં નહિ. અત્યન્ત સ્વચ્છ નહિ એવા તામ્ર (તાંબુ) આદિથી પાછાં ધકેલાયેલાં નયનરશ્મિ મલિન ઉપાધિના સંબંધ દેષને કારણે મુખ વગેરે વિશેષ અવયવ-રચનાનું ગ્રહણ કરતાં નથી. સાક્ષાત્ સૂર્યને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાં (પ્રાપ્ત કરવાની તૈયારીમાં હોય તેવાં) નયન રમિ જેમ સૂર્યના તેજથી પ્રતિહત થાય છે તેમ ઉપાધિને પ્રાપ્ત કરીને પાછાં ફરેલાં (નયનરશિમ) સૂર્યના તેજથી પ્રતિહત થતાં નથી તેથી સાક્ષાત્ સૂર્યનું અવલોકન અશકય છે તેવું પ્રતિબિંબસૂર્યનું અવલોકન અશક્ય નથી. જલ આદિ ઉપાધિને સનિકર્ષ થતાં કેટલાંક નયન રમિ ઉપાધિથી પ્રતિહત થયેલાં બિંબને પ્રાપ્ત કરે છે તે પણ બીજા કેટલાંક અંદર જઈને અંદર રહેલી રેતી વગેરેનું ગ્રહણ કરે છે ઈત્યાદિ કલ્પના કરવાથી કંઈ જ દોષ નથી. વિવરણઃ પ્રતિબિંબને અયાસ માનનાર પ્રતિબિંબાણાસમાં બિંબના સંનિકને હેતુ માન્યા વિના જ પરમાણુ અને દીવાલ વગેરેથી વ્યવહિત પદાર્થને ચાક્ષુષ પ્રતિબંબ ભ્રમ કેમ થતો નથી તે સમજાવવા પ્રયત્ન કરે છે. જે મુખાદિ દીવ લ વગેરેથી વ્યવહિત હોય તેનું, કે પરમાણુ કે વાયુનું ચાક્ષુષ પ્રતિબિંબ માનવું પડે એવું નથી કારણ કે એ નિયમ છે કે અવ્યવહિત, સ્થૂલ અને પ્રકટ (ઉદ્દભૂત) રૂપવાળા દ્રવ્યને પ્રતિબિંબભ્રમ થાય છે. આની સામે બિંબ–પ્રતિબંબને અભેદ માનનાર કહે છે કે દ્રવ્યના ચાક્ષુષ જ્ઞાનની પ્રતિ દ્રવ્યમાં રહેલી મહત્તા (સ્થૂલતા, અને તેના ઉદ્દભૂત રૂપને કારણ માનવામાં આવ્યાં છે. તે જ રીતે દીવાલ વગેરે ઈન્દ્રિય અને અર્થના સંનિકર્ષનું વિઘટન કરીને તે દ્વારા બાહ્ય વસ્તુવિષયક પ્રત્યક્ષમાં પ્રતિબંધક બને છે એમ માનવામાં આવ્યું છે. બિંબ અને પ્રતિબિંબને અભેદ માનનાર પક્ષમાં બિંબનું ચાક્ષુષ જ્ઞાન છે તેથી બિબભૂત મુખ આદિમાં રહેલાં સ્કૂલ અને ઉદ્દભૂત પત્વને જે ચાક્ષુષ પ્રત્યક્ષનાં કારણે માન્યાં છે તેનાથી ઇતર સ્થળે તેમને કારણ ક૫વાની જરૂર પડતી નથી એટલું આ પક્ષમાં લાઘવ છે. જ્યારે શક્તિજિતની જેમ સાક્ષીથી ભાસ્ય પ્રતિબિંબાષ્પાસની ઉત્તિ માનનારા પક્ષમાં બિંબસન્નિકને પ્રતિબિંબાણાસને હેતુ માનવામાં નથી આવતું તેથી વાયુ અને પરમાણુતા ચાક્ષુષ પ્રતિબિંબની શક્યતાને વારવાને માટે તેમને માનવું પડે છે કે બિંબભૂત દ્રવ્યમાં રહેલાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy