SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય પરિછેદ કપ तन्निषेधः, अत एव 'नेदं रजतम्, किं तु तत् ', नेयं मदीया गौः, किं तु सैव', 'नात्र वर्तमानश्चैत्रः, किं त्वपवरके' इति निषिध्यमानस्यान्यत्र सत्त्वमवगम्यते, एवं सत्यत्वाभासप्रतीतिरेव सत्यत्वप्रसक्तिरिति तन्निषेधोपपत्तेः । अतो वर्णपदयोग्यतादिस्वरूपोपमर्द शङ्काऽभावान्नोपजीव्यविरोध इत्याहुः । - જ્યારે બીજા કહે છે કે “ અહીં નાના નથી (બ્રહ્મ માં દૂતપ્રપંચ નથી” એ શુતિનું પ્રપંચના સત્ય રૂપથી નિષેધમાં જ તાત્પર્ય છે, (પ્રપ ચના) સ્વરૂપથી નિષેધમાં તાત્પર્ય નથી, કારણ કે સ્વરૂપથી નિષેધ જે સ્વરૂપનો પ્રતિક્ષેપક ( દૂર ફે કી દેનાર, સાથે રહેવા ન દેનાર) ન હોય તે તે તેનો નિષેધ હોઈ શકે નહિ. (અ) જે તે તેને પ્રતિક્ષેપક હોય તે પ્રત્યક્ષનો વિરોધ થાય. અને એવી દલીલ ન કરવી કે સત્યત્વ પણ “સન ઘર (ઘટ સત છે) ઈત્યાદિ પ્રત્યક્ષથી સિદ્ધ હોવાથી તે રૂપથી પણ નિષેધ કરો બરાબર નથી. (આ દલીલ ઠીક નથી, કારણ કે કૃતિ સાથે વિરોધ ન થાય એટલા માટે સત્યત્વાભાસરૂપ વ્યાવહારિક સત્યત્વની (જ) પ્રત્યક્ષના વિષય તરીકે ઉપપત્તિ છે. અને બામ હેય તે બ્રામાં રહેલા પારમાર્થિક સત્યની પ્રપંચમાં પ્રસિદ્ધિ ન હોવાથી તે રૂપથી પ્રપંચનો નિષેધ અનુપપન્ન છે એમ નથી કારણ કે જેમ શુતિમાં રજતાભાસની પ્રતીતિ જ સત્ય રજતની પ્રસક્તિ છે તેથી તેને નિષેધ છે, માટે જ “આ રજત નથી, પણ તે (રજ) છે”, “આ મારી ગય નથી, પણ તે જ (મારી ગાય છે), “અહીં ચૈત્ર હાજર નથી, પણ ઓરડામાં છે', એમ જેનો નિષેધ કરાય છે તેનું અન્યત્ર સર્વ જ્ઞાત થાય છે, તેમ સત્યત્વાભાસપ્રતીતિ એ જ સત્યવપ્રસક્તિ છે તેથી તેનો નિષેધ ઉપપન છે તેથી વણ, પદ, ગ્યતા આદિના રૂપના ઉપમની શંકા ન હોવાથી ઉપજીગ(પ્રત્યક્ષ)ને વિરોધ નથી. વિવરણ : ઉપજવ્ય (પ્રત્યક્ષ) ના વિરોધની શંકાને પરિવાર અન્ય કેટલાક ચિંતક બીજી રીતે કરે છે–દ નાનાપિત...... શ્રુતિનું તાત્પર્ય પ્રપંચને સત્ય તરીકે નિષેધ કરવામાં છે, રવરૂપથી નિષેધ કરવામાં નથી. સ્વરૂપથી નિષેધ જે સ્વરૂપને પ્રતિક્ષેપક ન હેય, અર્થાત્ સ્વરૂપ અને સ્વરૂપને અભાવ જે સાથે રહી શકતા હોય તે એ એને નિષેધ જ ન હોઈ શકે. આમ અભાવના દરેક અધિકરણમાં પ્રતિયોગીની સ્થિતિ હોઈ શકે નહિ, તેથી પ્રપંચના અધિકરણ બ્રહ્મમાં પ્રપંચનો અભાવ આ કૃતિથી જ્ઞાત થઈ શકે નહિ, આ શતિ બ્રહ્મમાં પ્રપંચ નથી એમ ન કહી શકે. માત્ર એ પ્રપંચને સત્ય તરીકે નિ કરી શકે. જે સ્વરૂપથી નિષેધ કરે તે પ્રત્યક્ષને વિરોધ થાય. વિરોધી શંક્રા કરે છે કે એમ તે “સન ઘટઃ' વગેરે પ્રત્યક્ષથી સત્યત પણ સિહ છે તે સત્યરૂપથી પણ પ્રપંચને નિષેધ કૃતિથી જ્ઞાત ન થઈ શકે. આને ઉત્તર એ છે કે પ્રત્યક્ષાદિથી ગ્રાહ્ય પ્રપંચ-સત્યત્વ બ્રહ્મસત્યત્વની જેમ પરમાર્થ નથી. એ પરમાર્થ હોય તે ઉપક્રમ આદિના આધારે સ્વાર્થમાં જ તાત્પર્ય છે એવું જેમને વિષે નિશ્ચિત કરવામાં આવ્યું છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005539
Book TitleSiddhantalesa Sangraha
Original Sutra AuthorN/A
AuthorEsther A Solomon
PublisherL D Indology Ahmedabad
Publication Year1990
Total Pages624
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy